"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

MAHITI



 

 

 

ઑગષ્ટ માસના વ્યક્તિ-વિશેષ

 

 

 

 

૧ ઑગષ્ટ

રવિશંકર રાવલ

જન્મ : ૧.૮.૧૮૯૨, (ભાવનગર) 
મૃત્યુ : ઇ.સ. ૧૯૭૭

પદ્મશ્રી, તેજસ્વી, ઉદ્યમી, મહાન ચિત્રકાર, કલા વિવેચક, મર્મજ્ઞ, આર્ટના મેયો અને સુવર્ણ ચંદ્રક ધરાવનાર, 'કુમાર' અને ગુજરાત કલાસંઘના સ્થાપક, ભારતીય શૈલીના મધુર ચિત્રકાર.

 

 

 

 

૨ ઑગષ્ટ

સર પ્રફુલ્લચંદ્ર રે

જન્મ : ૨.૮.૧૮૬૧, (કોલકત્તા),
મૃત્યુ : ૧૭.૬.૧૯૪૪.
ભારતના પનોતા પુત્ર, ઉર્દૂ-અંગ્રેજી સાહિત્યના અભ્યાસી, રસાયણશાસ્ત્રી, ભારતીય રાસાયણિક મંડળના સ્થાપક, મર્ક્યુરી નાઇટ્રેટના શોધક, હિન્દુ રસાયણશાસ્ત્રના ઇતિહાસના લેખક, દેશભકત અને કેળવણીકાર.

 

 

 

 

૩ ઑગષ્ટ

સર રિચાર્ડ આર્કરાઇટ

જન્મ : ૨૩.૧૨.૧૭૩૨, (ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ૩.૮.૧૭૯૨.

ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા, સ્પીનીંગ જેની અને વૉટર ફ્રેમના શોધક, પાણીથી ચાલતી કાપડની સ્પીનિંગ મીલ શરૂ કરનાર, મહાન શોધક-વૈજ્ઞાનિક, પરિશ્રમી અને વિશ્વ વિભૂતિ.

 

 

 

 

૪ ઑગષ્ટ

સર ફિરોજશાહ મહેતા

જન્મ : ૪.૮.૧૮૪૫ , (મુંબઇ),
મૃત્યુ : ઇ.સ. ૧૯૧૫.

નીડર વ્યક્તિત્વ, સ્પષ્ટ વક્તા, ધારાશાસ્ત્રી, રાષ્ટ્રભક્ત, બોમ્બે કોનિકલના સ્થાપક, મુંબઇ મ્યુનિસિપલ ચાર્ટરના પિતા, નીડર અને રાજકીય સૂઝ ધરાવતા સ્વતંત્રતા ચળવળના અગ્રણી.

 

 

 

 

૫ ઑગષ્ટ

લૉર્ડ ટૉમ્સન

જન્મ : ૫.૬.૧૮૯૪ , (કેનેડા),
મૃત્યુ : ૫.૮.૧૯૭૬.

વિવિધ દેશોમાં દૈનિકો, છાપખાનાઓ, પ્રકાશન સંસ્થાઓ, પ્રવાસ એજાન્સીઓ, રેડિયો સર્વિસ, વીમા કંપનીઓ, ટી.વી. કેન્દ્રો વગેરેના સ્થાપક-સંચાલક, લૉર્ડ પદવી ધારક, એકાંતપ્રિય અને અજાતશત્રુ.

 

 

 

 

૬ ઑગષ્ટ

રાજેન્દ્રલાલ મિત્ર 'રાજા'

જન્મ : ઇ.સ. ૧૮૨૪ , (સૂર-બંગાળ),
મૃત્યુ : ૬.૮.૧૮૯૧.

તેજસ્વી-બુધ્ધિમાન, અભ્યાસનિષ્ઠ, મોટાભાગની વિદેશી ભાષાઓના જાણકાર, એશિયાટિક સોસાયટીના આ.સેક્રેટરી અને ગ્રંથપાલ, લેખક, હિન્દ પુરાતત્વ અને શિલ્પકૃતિઓના સંશોધક, શિલ્પી, ઇતિહાસકાર, વિવિધાર્થ સંગ્રહના સ્થાપક અને ભારતના પુરાતત્વવિદ.

 

 

 

 

૭ ઑગષ્ટ

શ્રી રાલ્ફ બંચ

જન્મ : ૭.૮.૧૯૦૪, (મીશીગન-અમેરિકા) ,
મૃત્યુ : ઇ.સ. ૧૯૭૨

દ્રઢ મનોબળ, વિશ્વ શાંતિની સમસ્યાઓના વ્યાખ્યાતા, બાસ્કેટબૉલના ખેલાડી, આફ્રિકાના સામાજિક અન્વેશક, સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયામક, સ્પીંગાર્ન અને નોબેલ પારિતોષિક અને મેડલ ઑફ ઓનરના વિજેતા.

 

 

 

 

૮ ઑગષ્ટ

શ્રી મગનભાઇ ભૂધરભાઇ પટેલ 'પતીલ'

જન્મ : ૮.૮.૧૯૦૬ (અંકલેશ્વર),
મૃત્યુ : ઇ.સ. ૧૯૭૦.

મસ્તી અને વેદનાના ગીતો ગાનાર ગુજરાતી કવિ, પ્રભાત-નર્મદાના રચયિતા, 'પ્રસ્થાન' ના સ્થાપક, વિવેચક અને વિનોદી લેખક.

 

 

 

 

૯ ઑગષ્ટ

સંત તુલસીદાસ

જન્મ : ઇ.સ. ૧૪૯૭, (રામપુર-ઉ.પ્રદેશ),
મૃત્યુ : ૯.૮.૧૬૨૪.

ભક્તિગીતો-દોહા-પદો, રામચરિતમાનસ, વિનયપત્રિકા, કૃષ્ણ ગીતાવલી, કવિતાવલી વગેરે મહાન ગ્રંથોના રચયિતા, ભારતવર્ષના ભક્તકવિ, ભારતીય સંસ્કૃતિને સાહિત્યમાં આકારનાર અને ચિરંજીવ કવિરત્ન.

 

 

 

 

૧૦ ઑગષ્ટ

પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે

જન્મ : ૧૦.૮.૧૮૬૦ , (વેળણેશ્વર-મહારાષ્ટ્ર),
મૃત્યુ : ૧૯.૯.૧૯૩૬

સંગીતના સ્વતંત્ર અને બહોળા વિકાસના ભેખધારી, ધારાશાસ્ત્રી, સ્વારમાલિકા સંગીત પધ્ધતિ ઉપર ચાર પુસ્તકો અને ગ્રંથોના રચયિતા, સંગીતને દસ ઘાટમાં વહેંચનાર એવા ભારતના સંગીતજ્ઞ, ગાનાચાર્ય, પંડિત, કવિ, વાગ્ણેકાર, સંગીત પ્રચારક-પોષક-ઉધ્ધાર-સંવર્ધક.

 

 

 

 

૧૧ ઑગષ્ટ

શ્રી ખુદીરામ બોઝ

જન્મ : ઇ.સ. ૧૮૯૦ , (બંગાળ), મૃત્યુ : ૧૧.૮.૧૯૦૮.
ભારતના બંગાળી રાષ્ટ્રવાદી, આઝાદીના આંદોલનના ક્રાંતિદળના અગ્રણી, 'માનવ પારખુ', આદરણીય શહીદ.

 

 

 

 

૧૨ ઑગષ્ટ

ડૉ. વિક્રમ સારાભાઇ

જન્મ :૧૨.૮.૧૯૧૯ , (અમદાવાદ),
મૃત્યુ : ૩૦.૧૨.૧૯૭૧.

આંતરરાષ્ટ્રીય ખ્યાત મહાન વૈજ્ઞાનિક, ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ, ભારતને અવકાશ-સંશોધના ક્ષેત્રે લઇ જનાર, PRL ના પ્રથમ પ્રાધ્યાપક અને ડિરેક્ટર, કૉસ્મિક રેના ઊંડા અભ્યાસી, સેટેલાઇટ-કૉમ્યુનિકેશન સેન્ટરોના સ્થાપક, ભારતના સ્પેસ વૈજ્ઞાનિક.

 

 

 

 

૧૩ ઑગષ્ટ

માદમ ભીખાઇજી કામા

જન્મ : ૨૪.૯.૧૮૬૧ , (મુંબઇ),
મૃત્યુ : ૧૩.૮.૧૯૩૬.

ભારતનો સર્વ પ્રથમ રાષ્ટ્રધ્વજ રજુ કરનાર, પરદેશમાં રહી ભારતની સ્વતંત્રતા માટે લડનાર, ગુજરાતી નારી, દેશના આદ્ય ક્રાંતિકારી, નારીરત્ન.

 

 

 

 

૧૪ ઑગષ્ટ

શ્રી યશોધર નર્મદાશંકર મહેતા

જન્મ : ૧૪.૮.૧૯૦૯ , (અમદાવાદ),
મૃત્યુ : ........

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર, પ્રવાસલેખક, પત્રકાર, જીવનચરિત્રો, વાર્તાલાપો, તત્વજ્ઞાનના લેખો, રેડિયો નાટકો વગેરેમાં અનોખી ભાત પાડનાર સાહિત્યકાર. 

 

 

 

 

૧૫ ઑગષ્ટ

શ્રી અરવિંદ ઘોષ

જન્મ : ૧૫.૮.૧૮૭૨ , (વડોદરા),
મૃત્યુ : ૫.૧૨.૧૯૫૦.

સહૃદયી અધ્યાપક, પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્ત્મ વિવેચક, ઉત્તમ કવિ, મૌલિક ટીકાકાર, મહાન યોગી-યુગ પુરૂષ, સાહિત્ય સેવક, તત્વજ્ઞાની, ક્રાંતિકારી, ભારતીય આધ્યાત્મિકતાનું પુનરૂત્થાન કરનાર ભારતના મહાન યોગી.

 

 

 

 

૧૬ ઑગષ્ટ

શ્રી રામકૃષ્ણ પરમહંસ

જન્મ : ૧૮.૨.૧૮૩૬ , (કામારપુકુર-બંગાળ),
મૃત્યુ : ૧૬.૮.૧૮૮૬.

ઉંચી સ્મરણશક્તિ, ગંભીર, તપસ્વી, કાલિકાના ઉપાસક, ઇશ્વરીય અવતાર, તંત્રવિદ્યાના અભ્યાસી, જટીલ વ્યક્તિત્વ, રામકૃષ્ણ મઠના સ્થાપક, દરેક ધર્મોના ઇશ્વરને પોતાનામાં સાક્ષાત્કાર કરનાર અને જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ આપનાર ભારતીય સન્યાસી.

 

 

 

 

૧૭ ઑગષ્ટ

શ્રી ઝવેરચંદ મેઘાણી

જન્મ : ૧૭.૮.૧૮૯૭ , (બગરસા-ગુજરાત),
મૃત્યુ : ૯.૩.૧૯૪૭.

સંશોધન, વિવેચન, નવલકથા, નાટક, કવિતા, ઇતિહાસ-પ્રવાસ જેવી સાહિત્ય સર્જનની બધી જ દિશાઓને આવરી લઇ તેના દ્વારા રાષ્ટ્રપ્રેમ જગાડનાર અને લોક સાહિત્યને સિંચનાર, જન્મભૂમિના સંપાદક, સુવર્ણચંદ્રક વિજેતા, ગુજરાતી સાહિત્ય સર્જક અને લેખક.

 

 

 

 

૧૮ ઑગષ્ટ

શ્રી વિષ્ણુ દિગંબર પલુસ્કર

જન્મ :૧૮.૮.૧૮૭૨ , (મહારાષ્ટ્ર),
મૃત્યુ : ૨૧.૮.૧૯૩૧.

સંગીત સ્વામિ અને સાધક, ગાંધર્વ મહાવિદ્યાલયના સ્થાપક, સંગીત સંશોધક, ભારતીય સંગીતને લીપીબધ્ધ કરનાર, શૃંગારરસમાં ભક્તિ રસ લાવી લોકપ્રિય બનનાર સંગીત પ્રચારક.

 

 

 

 

૧૯ ઑગષ્ટ

શ્રી કરુણાશંકર કુબેરજી ભટ્ટ

જન્મ : ૧૯.૮.૧૮૭૩ , (સારસા-ગુજરાત) ,
મૃત્યુ : ૨.૧૦.૧૯૪૩.

ગુજરાતના અનન્ય શિક્ષકવર્ય, સદાચારની આદર્શ મૂર્તિ, બાળકેળવણીનો નવો યુગ શરૂ કરનાર, અભિજાત શિક્ષક, 'ગુજરાત રત્ન'.

 

 

 

 

૨૦ ઑગષ્ટ

શ્રી લીઓ-ટૉલ્સટોય

જન્મ : ૨૦.૮.૧૮૨૮, (રશિયા)  મૃત્યુ : ૨૦.૧૧.૧૯૧૦
ગહન ચિંતામાં રહેનાર, રૂસોથી પ્રભાવિત, વિશ્વશાંતિ અને વિશ્વબંધુત્વની ભાવનાના પ્રખર હિમાયતી, નવલકથાકાર, લોક-જીવનના ઉંડા અભ્યાસી અને ચિંતક, સમર્થ સાહિત્ય સર્જક અને ઉત્તમ માર્ગદર્શક.

 

 

 

 

૨૧ ઑગષ્ટ

શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક 'દ્વિરેફ'

જન્મ : ૮.૪.૧૮૮૭, (ગાણોલ-ધોળકા) , 
મૃત્યુ : ૨૧.૮.૧૯૫૫

સાહિત્યકાર, તત્વજ્ઞાની, ચિંતક, જ્ઞાનનો ભંડાર, માર્ગદર્શક, વિવેચક, તેજસ્વી, જિજ્ઞાસુ, સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક-પ્રોફેસર, ગદ્ય-પદ્ય લેખક, વિવિધ ગ્રંથોના રચયિતા, સંસ્કાર સિંચક, સાહિત્યશાસ્ત્ર અને પિંગળશાસ્ત્રના સંશોધક અને વિવેચક એવા ગુજરાતી સાહિત્ય પંડિત.

 

 

 

 

૨૨ ઑગષ્ટ

શ્રી રામશાસ્ત્રી પ્રભૂણે

જન્મ : ૨૨.૮.૧૭૨૦, (માહુલી), મૃત્યુ : ૨૫.૧૦.૧૭૮૬.
પેશવાના શાસનકાળ દરમ્યાનના નિર્ભિક અને અડગ ન્યાયાધીશ અને ધર્મશાસ્ત્રી.

 

 

 

 

૨૩ ઑગષ્ટ

શ્રી રણછોડદાસ ગિરધરભાઇ ઝવેરી

જન્મ : ૨૯.૮.૧૮૦૩ , (ભરૂચ) ,
મૃત્યુ : ૨૩.૮.૧૮૭૩.

અર્વાચિન ગુજરાતી કેળવણીના પિતા, ગુજરાતી વર્ણમાળા, વાંચનમાળા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભૂમિતિ વગેરે પુસ્તકોના રચયિતા, બોધ્ધિવર્ધક હિન્દુસભાના પ્રથમ પ્રમુખ, ન્યાયી, સેવાભાવી, ધર્મસહિષ્ણુ અને એકેશ્વરવાદનું વલણ ધરાવનાર ગુજરાતી સમાજસુધારક.   

 

 

 

 

૨૪ ઑગષ્ટ

કવિ નર્મદાશંકર લાલશંકર દવે

જન્મ : ૨૪.૮.૧૮૩૩, (સુરત) ,
મૃત્યુ : ઇ.સ. ૧૮૮૬.

અર્વાચિન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કરનાર, કવિતાઓ દ્વારા પ્રમ-શૌર્ય-જોષ ઉત્પન્ન કરનાર, પોતાની કવિતાઓ દ્વારા સ્વતંત્રતા, દેશાભિમાન, પ્રકૃતિ, પ્રણય, ધર્મવિચાર રજૂ કરનાર, સુધારાવાદી અને નીડર ગુજરાતી કવિ.

 

 

 

 

૨૫ ઑગષ્ટ

શ્રી હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય

જન્મ : ૨૫.૮.૧૮૯૭ (વિરમગામ) ,
મૃત્યુ : મે, ૧૯૮૪.

પ્રકૃતિવિદ, ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક, ભરખંડ મીલના કાબેલ મેનેજર, રાષ્ટ્રવાદી, ચળવળા દરમ્યાનના સાયકલ પ્રવાસી, સુવર્ણચંદ્રક વિજેતા, કીટકશાસ્ત્રના અભ્યાસી, સાહિત્યકાર અને પક્ષીપ્રેમી.

 

 

 

 

૨૬ ઑગષ્ટ 

શ્રી કૃષ્ણાજી પ્રભાશંકર ખાડિલકર

જન્મ : ૨૩.૧૧.૧૮૭૨ (સાંગલી-મહારાષ્ટ્ર),
મૃત્યુ : ૨૬.૮.૧૯૪૮.

તલવારની ધારા જેવી કલમથી અંગ્રેજો સામે લોકજાગૃતિ લાવનાર, નાટ્યકાર, પત્રકાર, શિક્ષક, તિલકના સહાયક, કેસરીના સંચાલક, મરાઠી રંગભૂમિને નવું રૂપ આપનાર, દત્તમંદિરના સ્થાપક અને સશસ્ત્ર ક્રાંતિના હિમાયતી.

 

 

 

 

૨૭ ઑગષ્ટ

સન્નારી મધર ટેરેસા

જન્મ : ૨૭.૮.૧૯૧૦ , (સ્કોપ્જે-યુગોસ્લાવિયા) ,
મૃત્યુ : ......

વાત્સલ્યની હૂંફ બક્ષનાર, ત્યક્ત માનવોને આશરો આપનાર, નિ:સ્વાર્થ સેવાભાવી, રક્તપિત્તિયાઓના સેવાકેન્દ્રો અને દવાખાના સ્થાપનાર, શાંતિ નોબેલ પારિતોષિક મેળવનાર ભારતના સેવક.

 

 

 

 

૨૮ ઑગષ્ટ

શ્રી કરસનદાસ મુળજીભાઇ મહેતા

જન્મ : ઇ.સ. ૧૮૩૨ (મુંબઇ),
મૃત્યુ : ૨૭.૮.૧૮૭૧.

ગદ્યલેખક, ક્રાંતિકારી, કન્યાકેળવણીના હિમાયતી, અંધશ્રધ્ધા અને કુરિવાજોના વિરોધી, સત્યપ્રકાશના તંત્રી, નીડર પત્રકાર, સમાજસુધારક, ગુજરાતી સાહિત્યકાર.

 

 

 

 

૨૯ ઑગષ્ટ

ડૉ. જીવરાજભાઇ નારાયણભાઇ મહેતા

જન્મ : ૨૯.૮.૧૮૮૭ (અમરેલી),
મૃત્યુ : ઇ.સ. ૧૯૭૮.

ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન, સેવાભાવી ડૉક્ટર, મુંબઇ મેડિકલ કૉલેજના ડિન, કેળવણીકાર, ભારતીય રાજદૂત, સમાજસેવક, વિદેશમાં ભારતની શાન-શોભા-ગૌરવ વધારનાર.

 

 

 

 

૩૦ ઑગષ્ટ

શ્રી લખમીદાસ રવજી તેરસી

જન્મ : ૨૩.૧૦.૧૮૭૬ (મુંબઇ),
મૃત્યુ : ૩૦.૮.૧૯૩૯

પહેલદાર હિરો, નીતિચ્યુત ધર્મગુરૂઓ પર પ્રહારો કરીને અસ્પૃશ્યોધ્ધાર કરનાર, અનેક કમિટીઓના સભ્ય, આર્થિક સહાયક, વિધવા વિવાહના હિમાયતી, ન્યાય માટે સતત લડનાર, સોનાવાલા ટ્રસ્ટના સ્થાપક પારસી સમાજસુધારક.

 

 

 

 

૩૧ ઑગષ્ટ

ડૉ. મારિયા મૉન્ટેસરી

જન્મ : ૩૧.૮.૧૮૭૦ , (ઇટાલી) ,
મૃત્યુ : ૬.૫.૧૯૫૨.

બાળકેળવણીની સૌ પ્રથમ ક્રાતિકારક કાયાપલટ કરનાર, મંદબુધ્ધિના બાળકોને અભ્યાસ કરાવનાર, મૉન્ટેસરી શિક્ષણ પધ્ધતિ અને મૉન્ટેસરી બાલમંદિરોના સ્થાપક, શિક્ષણનો સ્વતંત્ર વિકાસ કરનાર ઇટાલિયન સ્ત્રી ડોકટર.

 

 

 

 

 

 

 

 

 

..... 'કુમાર' અને અન્ય સાહિત્યમાંથી સંકલન .....