"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

MAHITI


 

 

 

જૂન માસના વ્યક્તિ-વિશેષ

 

 

 

 

૧ જુન

લેડી વિદ્યાગૌરી નીલકંઠ

જન્મ : ૧.૧.૧૮૭૬,  
મૃત્યુ : ૭.૧૨.૧૯૫૮.

ગુજરાતી સમાજ-જીવનના સંસ્કારજનની, શિક્ષણ, સાહિત્ય, સમાજિક, સંસાર-સુધારક, નારી જીવનના પ્રેરક અને સંગીન કાર્યકર્તા, ગુજરાતના સૌ પ્રથમ સ્ત્રી-સ્નાતક, સ્ત્રીઓના આદર્શ, આદરણીય પ્રેરણામૂર્તી અને હિન્દ કેસરીના ખિતાબથી નવાઝેલા.

 

 

 

 

૨ જુન

થોમસ હાર્ડી

જન્મ : ૨.૬.૧૮૪૦, (ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ૧૧.૧.૧૯૨૮.
મહાન નવલ-કથાકાર, અંગ્રેજી ભાષાના વિશ્વવિખ્યાત સિધ્ધહસ્ત સાહિત્યકાર.

 

 

 

 

૩ જુન

સરદાર કે.એમ.પણિક્કર

જન્મ : ૩.૬.૧૮૯૫, (કાવાકમ, કેરાલા),
મૃત્યુ : ૧૧.૧૨.૧૯૬૩.

અર્વાચીન ભારતના રાજદ્વારી ઇતિહાસકાર, ભારતના વિદેશનિતિકાર અને ઘડવૈયા, ભારતની ભવ્ય અસ્મિતાને એક નૂતન અને વ્યાપક દ્રષ્ટિ આપનાર જમ્મુ-કાશ્મિર અને મૈસુર યુનિવર્સિટીના કુલપતિ અને ભારતીય રાજદ્વારી પદ નીભાવનાર ઇતિહાસવીદ.

 

 

 

 

૪ જુન

રણજિતરામ વાવાભાઇ મહેતા

જન્મ : ૨૫.૧૦.૧૮૮૨ , (સુરત),
મૃત્યુ : ૪.૬.૧૯૧૭.

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક, સંવર્ધક, નવલિકા-લેખક, પત્રકાર, વિવેચક, નવલકથાકાર, ઉમરેઠ શાળાના આચાર્ય, મુંબઇ યુનિ.ના L.C.E., પત્રલેખક, ભાવનગર અને મુંબઇને કાર્યક્ષેત્ર બનાવનાર પાંચમાં સાહિત્ય પરિષદના અધિવેશનના મંત્રી. આજે પણ ઉત્તમ કૃતિના સાહિત્યકારને રણજિતરામ સુવર્ણચંદ્રક અપાય છે.

 

 

 

 

૫ જુન

સમ્રાટ હર્ષવર્ધન

જન્મ : ૫.૬.૦૫૯૦ , (કનોજ રાજ્ય),
મૃત્યુ : ઇ.સ. ૬૪૭.

ગુપ્ત-યુગની પ્રતિભાને નષ્ટ કરનાર, સિંઘ, નેપાળ, કાશ્મિર વગેરે જીતી લઇ દેશવ્યાપી ખ્યાતિ મેળવનાર, ઉત્તમ વિજેતા, વહીવટકર્તા, ધર્મપરાયણ, સાહિત્યકાર.

 

 

 

 

૬ જુન

ટૉમસ માન

જન્મ : ૬.૬.૧૮૭૫ , (લ્યૂબેક, જર્મની),
મૃત્યુ : ઇ.સ. ૧૯૫૫.

સાહિત્ય નોબેલ પારિતોષિક મેળવનાર, નવલકથાકાર, લોક-કેન્દ્રી દ્રષ્ટીને પોતાના સાહિત્યમાં લાવનાર, સંગીતનો શોખ ધરાવનાર, પ્રતિભા સંપન્ન કટાક્ષ-ચિત્રકાર, લોકશાહીના પક્ષકાર, પી.એચ.ડી. ડિગ્રીનો ત્યાગ કરનાર.

 

 

 

 

૭ જુન

મહારાણા પ્રતાપ

જન્મ : ૭.૬.૧૫૩૯ ,
મૃત્યુ : ૧૯.૧૧.૧૫૯૭

અદભુત શૌર્ય, અનુપમ નીડરતા, અપૂર્વ સાહસથી ભરપુર અજેય વ્યક્તિત્વ ધરાવનાર, બહાદૂર, મેવાડના રાજા, રાજપૂત કન્યાઓના રક્ષક એવા વીર યોધ્ધાએ છેલ્લે પોતાની સંપત્તિ ભામાશાહને સોંપી દેનાર, હિન્દુ રાષ્ટ્રનું મસ્તક ઉંચું રાખનાર ભારતના વીર.

 

 

 

 

૮ જુન

હઝરત મહંમદ પયગંબર

જન્મ : ૨૩.૪.૦૫૭૦ , (મક્કા),
મૃત્યુ : ૮.૬.૦૬૩૨.

એક કોમ, એક રાજ્ય અને એક ધર્મનો આદર્શ અપનાવનાર, અલ્લાહનો પૈગામ પહોંચાડનાર, અલ-અમીન, હિજરી સંવતના પ્રેરક, શાંતિ-એક્તા-પવિત્રતા અને માનવસેવા, પ્રેમ-ક્ષમાના સિધ્ધાંતો અપનાવનાર.

 

 

 

 

૯ જુન

ચાર્લ્સ ડિકન્સ

જન્મ : ૭.૧૨.૧૮૧૨ , (ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ૯.૬.૧૮૭૦.

પિતા સાથે કરજદારોની જેલમાં શિક્ષણવિહોણો ઊછેર મેળવનાર, કુશળ અભિનેતા, સાહિત્યકાર, બાળપ્રેમી,  નવલકથાકાર, માનવજાતની ભાવિ પ્રગતિની આશા સેવનાર.

 

 

 

 

૧૦ જુન

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)

જન્મ : ૨૬.૧.૧૮૭૪ , (લાઠી-અમરેલી),
મૃત્યુ : ૧૦.૬.૧૯૦૦.

સૌરાષ્ટ્રના ચોથા વર્ગના રાજા, સાહિત્યસર્જક, કવિ, પ્રકૃતિપ્રેમી, સાહિત્ય-સાધક, અંગ્રેજી-સંસ્કૃત-ગુજરાતી-ઉર્દૂ જેવી ભાષાઓમાં ઉત્તમ કૃતિઓ આપનાર, ભાવનાપ્રધાન, આજન્મ યુવાકવિ. 

 

 

 

 

૧૧ જુન

યાસુનારી કાવાબાતા

જન્મ : ૧૧.૬.૧૮૯૯ , (ટોકિયો-જાપાન),
મૃત્યુ : ૧૬.૪.૧૯૭૨.

તીવ્ર સંવેદનશીલ, મનુષ્યની વેદનાના મર્મજ્ઞ નિરૂપક, વતનપ્રેમી, પરંપરાવાદી, આધ્યાત્મિક ઉપાસક, જાપાની ચેતનાના સંરક્ષક, નોબેલ પારિતોષિક વિજેતા, પેન સંસ્થાના પ્રમુખ, આંતરાષ્ટ્રીય વિભૂતિ.

 

 

 

 

૧૨ જુન

અર્નેસ્ટ હેમિન્ગ્વે

જન્મ : ૧૨.૬.૧૮૯૪ , (ક્યૂબા),
મૃત્યુ : ૨.૭.૧૯૬૧.

કથન-કલાની એક અનોખી પ્રતિભા આપી જનાર, તેમની કથાઓના પાત્રો પર ધાર્મિક, સામાજિક કે રાજકીયતાનો કોઇ થર લાગ્યા વિના તેની જીવંત રાખનાર.

 

 

 

 

૧૩ જુન

ગણેશ દામોદર સાવરકર

જન્મ : ૧૩.૬.૧૮૭૯ , (ભાગૂર-નાસિક),
મૃત્યુ : ૧૬.૩.૧૯૪૫.

નિ:સ્વાર્થ-સેવા, આત્મભોગ અને કષ્ટસહન કવામાં જ જીવનનો આનંદ માણનાર હિન્દી ક્રાંતિકારી, કાળાપાણીની સજા ભોગવનાર, શ્રધ્ધાનંદ સાહિત્યના પ્રેરક, માયાવતી આશ્રમના યોગ-સાધક અને રાષ્ટ્ર-પુરૂષ.

 

 

 

 

૧૪ જુન

એડવર્ડ વિલિયમ આર્યનાયક્મ

જન્મ : ઇ.સ. ૧૮૯૭ , (શ્રીલંકા),
મૃત્યુ : ૧૪.૬.૧૯૬૭.

નઇ તાલીમના પુરસ્કૃત, પ્રયોગકર્તા અને પ્રચારક, જન-સેવક, પ્રેમાળ, પ્રબળ આત્મશક્તિવાળા, પીઢ કેળવણીકાર.

 

 

 

 

૧૫ જુન

અબ્બાસ તૈયબજી

જન્મ : ૧.૨.૧૮૫૪ , (મુંબઇ),
મૃત્યુ : ૧૫.૬.૧૯૩૯.

જલીયાવાલા બાગ હત્યાકાંડની તપાસ કમિટીમાં નિમણૂંક દરમ્યાન બ્રિટિશ સરકારના ગુનાથી વાકેફા થતાં ગાંધીજી સાથે જોડાઇને સત્યાગ્રહમાં જોડાઇ રાષ્ટ્રસેવામાં ગુજરાતને કર્મભૂમિ બનાવી માનવતાના મહાન સેવક બનેલા.

 

 

 

 

૧૬ જુન

સંત કબીર

જન્મ : ઇ.સ. ૧૩૯૮ , (કાશી),
મૃત્યુ : ૧૬.૬.૧૫૧૮.

સૂફી મતની ઘેરી અસર ધરાવતા, વિલક્ષણ, બંડખોર, આક્રમક અને વિપ્લવવાદી, કુરિવાજોના વિરોધી, કાન્તદર્શી, ભક્તિયુગના કવિ.

 

 

 

 

૧૭ જુન

મૉરિટ્સ કોર્નિલિસ એસ્ચર

જન્મ : ૧૭.૬.૧૮૯૮ , (લ્યૂવર્ડન),
મૃત્યુ : ઇ.સ. ૧૯૭૨.

મોર્ડન કળા પ્રત્યે અરૂચિ ધરાવનાર, પોતાની આગવી ચાતુરાયુક્ત કલ્પનાઓના આલેખન વડે કલાક્ષેત્રે આ ડચ કલાકારે આગવું સ્થાન મેળવી લિથોગ્રાફી, કાષ્ઠકલા ઉપર પોતાના વિચારો રજૂ કરનાર.

 

 

 

 

૧૮ જુન

વિરાંગના લક્ષ્મીબાઇ

જન્મ : ૧૬.૧૧.૧૮૩૫ , (કાશી),
મૃત્યુ : ૧૮.૬.૧૮૫૮.

સતત નવ દિવસ સર હ્યુ રોઝ સાથે યુધ્ધ કરનાર, ઝાંસીને બચાવનાર, ૧૮૫૭ના વિપ્લવની આગેવાની લેનાર, બે હાથમાં ખૂલ્લી તલવારા લઇ એકલે હાથે અંગ્રેજો સામે લડનાર ભારતની એક માત્ર વિરાંગના.

 

 

 

 

૧૯ જુન

સાને ગુરૂજી

જન્મ : ૨૪.૧૨.૧૮૯૯ , (મહારાષ્ટ્ર) ,
મૃત્યુ : ૧૯.૬.૧૯૫૦.

માન-સન્માનના અપેક્ષા વગર રાજકારણ, ધર્મ, સાહિત્ય, સમાજસેવા વગેરે ક્ષેત્રે લોકહિતાર્થે કામ કરનાર, કવિ, ગ્રામ-સ્વરાજ્યના સ્થાપક, હરિજનોના ઉધ્ધારક, દેશભક્ત.

 

 

 

 

૨૦ જુન

લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર

જન્મ : ૨૦.૬.૧૮૬૯ , (આંધ્રપ્રદેશ) ,
મૃત્યુ : ૨૬.૯.૧૯૫૬.

ભારતના બહુરત્ના ઉધોગક્ષેત્રે અનુપમ સિધ્ધિ મેળવનાર, મિકેનિકલ ડ્રોઇંગ માસ્ટર, કિર્લોસ્કરના માલિક, ખેડૂત ઉપયોગી સાઘનો બનાવનાર, અનેકવિધ યંત્રો, મોટરો, એન્જીનો જેવા સાધનો બનાવનાર ભારતીય.

 

 

 

 

૨૧ જુન

ઝ્યાં પૉલ સાત્ર

જન્મ : ૨૧.૬.૧૯૦૫ , (પેરિસ) ,
મૃત્યુ : ઇ.સ. ૧૯૮૦.

શ્રેષ્ઠ સાહિત્યકાર, તત્વજ્ઞાની, નિબંધ, નવલકથા, આત્મકથા, નાટક વગેરેના ક્રાંતિકારી રચયિતા, પોતાના સાહિત્યમાં વાસ્તવવાદ અને આદર્શવાદનો સુમેળ સાધીને જગતને નૂતન પ્રકાશ આપનાર અસ્તિત્વવાદી.

 

 

 

 

૨૨ જુન

વૉલ્ટર-દ-લા-મેર

જન્મ : ૨૫.૪.૧૮૭૩ , (કેન્ટ-ઇંગ્લેન્ડ) ,
મૃત્યુ : ૨૨.૬.૧૯૫૬.

કાવ્યસાધક, સ્વપ્ન દ્વારા સત્યને શોધનાર, ક્રૂણતાનું દર્શન કરાવનાર, આધ્યાત્મિકતા સમજાવનાર, સાહિત્યસર્જક, વિવિધ કાવ્યગ્રંથોના રચયિતા, અંગ્રેજી સાહિત્યની સંપત્તિ બની ગયેલા ગદ્ય-પદ્ય કૃતિકાર.

 

 

 

 

૨૩ જુન

ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત

જન્મ : ૨૩.૬.૧૯૨૩ , (વળા-ભાવનગર) ,
મૃત્યુ : ૨૮.૧૧.૧૯૭૫.

ભાષા વિજ્ઞાનના તજજ્ઞ અને ગ્રેંથો-લેખોના સર્જક, ગુજરાતી સાહિત્ય-સ્વામિ, રાષ્ટ્રીય ચળવળમાં ભાગલેનાર, યેલ યુનિ.ના સિનિયર ફેલો, ગુજરાત યુનિ. ના સંશોધક, રીડર, વિદ્યાર્થીપ્રિય, અણિશુધ્ધ વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર. 

 

 

 

 

૨૪ જુન

પંડિત ઑમકારનાથ ઠાકુર

જન્મ : ૨૪.૬.૧૮૯૭ , મૃત્યુ : ઇ.સ. ૧૯૬૭.
મહાન સુરીલા સંગીતકાર, યોગના અભ્યાસી, સ્વાતંત્ર્ય સંગ્રામના સંનિષ્ઠ સેવક, ઉત્તમ વક્તા, લેખક, ક્લાસાધક, મધુર કંઠ ધરાવનાર, સંગીતજ્ઞ, ગાંધીજી સાથે રહી રાષ્ટ્રીય જાગૃતિ લાવનાર અને ઉત્તમ ભજનગાયક.

 

 

 

 

૨૫ જુન

રામપ્રસાદ 'બિસ્મિલ'

જન્મ : ૨૫.૬.૧૮૯૭ ,
મૃત્યુ : ૧૯.૧૨.૧૯૨૭.

છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિનો મુક્તિમંત્ર રટનાર, હસતે મોંએ ફાંસીએ ચઢનાર, ક્રાંતિકારીઓના પ્રેરણામૂર્તિ સમાન, ભારતના પનોતા પુત્ર. 

 

 

 

 

૨૬ જુન

શ્રીમતિ પર્લ બક

જન્મ : ૨૬.૬.૧૮૯૨ , (હિલ્સબરો-અમેરિકા) ,
મૃત્યુ : ૬.૩.૧૯૭૩.

સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ અમેરિકન, નવલકથાઓ, નવલિકાઓ, નિબંધો, બોધકથાઓ, જીવચરિત્રો જેવી સાહિત્યકૃતિઓના સર્જક.

 

 

 

 

૨૭ જુન

કુ. હેલન કેલ્રર

જન્મ : ૨૭.૬.૧૮૮૦ , (લંડન) ,
મૃત્યુ : ૧.૬.૧૯૬૮.

દુનિયાના અંધજનોને પોતાના જીવન-દ્રષ્ટાંત વડે એક અપંગની કાર્યશક્તિનો સંદેશ પહોંચાડનાર, ત્રયેન્દ્રિયહીન (આંખ-કાન-જીભ ગુમાવનાર) નારી.

 

 

 

 

૨૮ જુન

હિંમતલાલ ગણેશજી અંજારિયા

જન્મ : ૨.૧૦.૧૮૭૭ , (વડનગર-રાજકોટ) ,
મૃત્યુ : ૨૮.૬.૧૯૭૨.

કન્યાકેળવણીનું માહત્મ્ય સમજાવનાર, વિદ્યાપ્રિય, વિપ્રવર્ય, મુંબઇના મહિલા કૉલેજની પ્રથમ ચાર વિદ્યાર્થીનીઓમાં એક પ્રવેશ લઇ અભ્યાસ કરનાર, સ્વાશ્રયી, વિદ્યાદાની, શીલભદ્ર સાહિત્યકાર એવા ગુર્જરરત્ન.

 

 

 

 

૨૯ જુન

સર આસુતોષ મુકરજી

જન્મ : ૨૯.૬.૧૮૬૪ , (કોલકત્તા) ,
મૃત્યુ : ઇ.સ. ૧૯૨૪.

બધી દિશાઓ-ધર્મો-કોમો-સંસ્કૃતિઓમાં જે કાંઇ શ્રેષ્ઠ હોય તેનો એક સુભગ સમન્વય શિક્ષણક્ષેત્રે સાધનાર ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી.

 

 

 

 

૩૦ જુન

શિશિરકુમાર ભાદુડી

જન્મ : ૨.૧૦.૧૮૮૯ , (મીનાપુર-બંગાળ) ,
મૃત્યુ : ૩૦.૬.૧૯૫૯.

બંગાળી રંગભૂમિના યુગસર્જક, નટસમ્રાટ, અભિનવ શક્તિધર, નાટ્યાચાર્ય, બંગાળી અભિનેતાઓના શિક્ષાગુરૂ, અભિનયસમ્રાટ, સિધ્ધાંતવાદી, પદ્મવિભૂષિત કલાકાર.

 

 

 

 

 

 

 

 

 

..... 'કુમાર' અને અન્ય સાહિત્યમાંથી સંકલન .....