"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

MAHITI



 

 

 

મે માસના વ્યક્તિ-વિશેષ

 

 

 

 


મે

ડૉ. ડેવિડ લિવિંગ્સ્ટન

જન્મ : ૧૯.૩.૧૮૧૩, (ગ્લાસગો),   
મૃત્યુ : ૧.૫.૧૮૭૩.
રૂના કારખાનામાં કામ કરતા તેમને પ્રવાસ, નૈસર્ગિક બાબતો અને ઇતિહાસમાં ખૂબ રસ હતો. અભ્યાસ પછી આફ્રીકામાં ધર્મપ્રચાર સાથે વિક્ટોરિયા ધોધ શોધી બીજા કેટલાય સરોવરો શોધ્યા. તેમની આવી શોધોને આધારે તેમણે મહત્વના ઘણા લેખો લખ્યા.

 

 

 

 


મે

લિયોનાર્ડો દ. વિન્ચિ

જન્મ : ૧૫.૪.૧૪૫૨, (ફ્લોરેંસ, ઇટાલી),
મૃત્યુ : ૨.૫.૧૫૧૯.
નવયુગના વિભિન્ન ક્ષેત્રોમાં અજવાળા પાથરનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર, વૈજ્ઞાનિક, ઇજનેર, શોધક અને ચિત્રકાર, શરીર વિજ્ઞાનના પારંગત, વિવિધ ભાષાઓના જાણકાર, કલા સર્જક, કરોડોની કિંમતના ચિત્રોના સર્જક, મોટી ઘડિયાળ, ઓટોમીટર, જેક, વગેરેના શોધક.

 

 

 

 


મે

શ્રીમતિ ગોલ્ડા મેર

જન્મ : ૩.૫.૧૮૯૮, (સોવિયેટ રશિયા),
મૃત્યુ : ૮.૧૨.૧૯૭૮.
ઇઝરાયેલના સફળ વડાપ્રધાન, રાજનીતિજ્ઞ, મજૂર સંગઠનના નેતા, 'નેસેટ' ના સભ્ય, મહાન સંગઠનવાદી સુપ્રસિધ્ધ મહિલા નેતા.

 

 

 

 


મે

માર્શલ ટીટો

જન્મ : ૨૫.૫.૧૮૯૨ , (યુગોસ્લાવિયા),
મૃત્યુ : ૪.૫.૧૯૮૦.
પ્રથમ વિશ્વ યુધ્ધમાં ઑસ્ટ્રોહંગેરિયન લશ્કરના અધિકારી, નેશનલ લિબરેશન કમિટીના પ્રમુખ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડા, મહામંત્રી એવા રાષ્ટ્રવિધાયક, 'લેનિન ઑર્ડર' વિજેતા.

 

 

 

 


મે

શ્રી મનુ સુબેદાર

જન્મ : ૫.૫.૧૮૮૯ , (ભાવનગર),
મૃત્યુ : ૧૦.૧૦.૧૯૭૨.
આત્મશ્રધ્ધા, અભ્યાસનિષ્ઠ, યશસ્વી, કુશળ વહીવટદાર, અનેક પારિતોષિકો મેળવનાર, બેરિસ્ટર, કુશળ અર્થશાસ્ત્રી, સજ્જન, અનીક ક્ષેત્રોમાં પોતાનો અમૂલ્ય ફાળો અને સેવા આપનાર.

 

 

 

 


મે

સિગમુન્ડ ફોઇડ

જન્મ : ૬.૫.૧૮૫૬ , (ઓસ્ટ્રીયા),
મૃત્યુ : ૨૨.૯.૧૯૩૯.
માનસશાસ્ત્રને વિજ્ઞાનની એક સ્વતંત્ર શાખા બનાવનાર, ક્રાંતિકારી, જ્ઞાનતંતુના ડૉક્ટર, હિપ્નોટિઝમના નિષ્ણાંત, મિક્ત સહચાર પધ્ધતિના શોધક, હિસ્ટેરિયા પર સંશોધન કરનાર, લેખક અને સાહિત્યકાર.

 

 

 

 


મે

શ્રી પન્નાલાલ પટેલ

જન્મ : ૭.૫.૧૯૧૨ , (રાજસ્થાન) ,
મૃત્યુ : ......
માત્ર આંઠ પાસ એવા આર્થિક,કૌટુંબિક, શારીરિક મુશ્કેલીઓ દ્વારા પોતાના જીવનમાં રસાયણ મેળવનાર, સચ્ચાઇના માલિક, કવિ, ગુજરાતી સાહિત્યનું રાષ્ટ્રાકક્ષાએ સન્માન કરાવનાર, નવલકથાકાર, રણજિતરામ સુવર્ણચંદ્રક જેવા વિવિધ ચંદ્રકોથી સ્ન્માનીત, 'સાચા કલાકાર'.

 

 

 

 


મે 

કવિવર રવીન્દ્રનાથ ટાગોર

જન્મ : ૮.૫.૧૮૬૧ , (બંગાળ)
મૃત્યુ : ૭.૮.૧૯૪૧.
ગુલામ હિન્દને ગૌરવ અપાવનાર, 'કવીવર', 'ગુરૂદેવ', શાંતિનિકેતન અને વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના સથાપક, પ્રખર ચિત્રકાર, કાવ્ય અને કલાના પ્રચારક, વિશ્વને પોતાનું ઘર સમજનાર ભારતના મહાન કવિવર.

 

 

 

 


મે

શ્રી ગોપાળ કૃષ્ણ ગોખલે

જન્મ : ૯.૫.૧૯૬૬ , (કાગલ, મહારાષ્ટ્ર),
મૃત્યુ : ૧૯.૨.૧૯૧૫.
સદા સાવચેત, વિશિષ્ટ સ્મરણશક્તિ, શિક્ષક પછી  દેશભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર, પ્રખર રાષ્ટ્રપ્રેમી, ભારતસેવા સમાજના સ્થાપક, જનહિતચિંતક, કર્મવીર, ગાંધીજીના રાજકીય ગુરૂ અને દેશસેવક.

 

 

 

 

૧૦
મે

શ્રી ગટુભાઇ ગો. ધ્રુવ

જન્મ : ૧૦.૫.૧૮૮૧ , (અમદાવાદ),
મૃત્યુ : ૨૪.૫.૧૯૬૮.
સુપ્રસિધ્ધ કેળવણીકાર, સમાજસેવક, ચિંતક, સાહિત્યકાર, સમાજસુધારક, 'પ્રાર્થનાસમાજ' ના મુખ્ય કાર્યકર્તા, અનેક સંસ્થાઓમાં સેવા આપનાર, સારા વક્તા, ઉત્તમ લેખક.

 

 

 

 

૧૧
મે

શ્રી પ્રાણલાલ કિરપાશંકર દેસાઇ

જન્મ : ૧૧.૫.૧૮૮૨ , (આમોદ, જિ.ભરૂચ),
મૃત્યુ : ઇ.સ. ૧૯૫૧.
સંનિષ્ઠ શિક્ષક, કેળવણીકાર, સંસ્કારા સુધારક, પ્રખર વક્તા, અનેક સંસ્થાઓના સક્રિયા કાર્યકર, તર્ક અને તત્વજ્ઞાનશાસ્ત્રી, AMC સ્કૂલ બોર્ડના સુપ્રિટેન્ડેન્ટ, એડ્મિનિસ્ટ્રેટીવ ઓફિસર, સમાજસેવક, ગુજરાતની ઐતિહાસિક વાર્તાઓના લેખક અને સાહિત્યકાર.

 

 

 

 

૧૨
મે

ફ્લોરેન્સ નાઇટિંગેઇલ

જન્મ : ૧૨.૫.૧૮૨૦ , (ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ૧૩.૮.૧૯૧૦.
'દયાનાદેવી', 'લેડી વીથ લેમ્પ', વિશ્વ્ના સર્વોત્તમ  પરિચારિકા' જેવા સન્માન ધરાવનાર, માનવસેવાવાદી, સૈનિકોની માવજત-કાળજી રાખનાર, મહાન સેવિકા.

 

 

 

 

૧૩
મે

સર રોનાલ્ડ રોસ

જન્મ : ૧૩.૫.૧૮૫૭ , (અલ્મોડા, હિમાલય),
મૃત્યુ : ઇ.સ. ૧૯૩૨.
મેલેરિયાના તાવના મચ્છરના શોધક, ડૉક્ટર, પીયાનોવાદક, વૈજ્ઞાનિક, ચિત્રકલા-ગણિત-ખગોળશાસ્ત્રમાં વિશેષ રૂચિ ધરાવનાર, વિવિધ રમતોના જાણકાર ખેલાડી, નોબલ પારિતોષિક વિજેતા, 'રોસ' અને 'વિજ્ઞાન અને વિકાસ' ના સ્થાપક.

 

 

 

 

૧૪
મે

મેહદી નવાઝજંગ

જન્મ : ૧૪.૫.૧૮૯૪ , (હૈદ્રાબાદ),
મૃત્યુ : ૨૩.૬.૧૯૬૭.
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, અર્વાચીન સંસ્કાર-જગતને પોતાની વિવિધ્લક્ષી પ્રવૃત્તિઓથી ઉજાગર કરનાર, કલા સોસાયટીના સ્થાપક-સભ્ય, સાલારજંગ સ્ટેટ કમિટીના અધ્યક્ષ, 'પદ્મવિભૂષિત', આરોગ્ય સંસ્થાઓના પ્રમુખ, પ્રેરણાદાયી જીવન જીવી નવી રાહ બતાવનાર.

 

 

 

 

૧૫
મે

શ્રી ત્રૈલોક્યનાથ ચક્રવર્તી

જન્મ : ૧૫.૫.૧૮૮૯ , (માયમનસિંગ, પૂર્વ બંગાળ),
મૃત્યુ : ૯.૮.૧૯૭૦.
જીવનના ત્રણ દાયકા જેલમાં વિતાવનાર મહાન ક્રાંતિવીર, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કાર્યકર, શાળા સંચાલક, અનુશીલન સમિતિના સભ્ય, બલિદાન-હિંમત-નૈતિક વ્યક્તિત્વના ઉમદા ઉદાહરણ પૂરા પાડનાર મહાન ક્રાંતિકારી.

 

 

 

 

૧૬
મે

શ્રી અંબુભાઇ પુરાણી

જન્મ : ૨૬.૫.૧૮૯૪ , (ભરૂચ),
મૃત્યુ : ૧૧.૧૨.૧૯૬૫.
શ્રી. અરવિંદના અંગત સહાયક, વાર્તા, ચારિત્ર્ય, પ્રવાસ-વર્ણન, પત્ર-સાહિત્ય, નિબંધ લેખક, રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો-સાધના-સંયમ અને ભક્તિમાર્ગના અનુયાયીઅનુયાયી.

 

 

 

 

૧૭
મે

શ્રી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા

જન્મ : ૧૭.૫.૧૮૧૮ , (નડિયાન),
મૃત્યુ : ૧.૪.૧૮૯૮
ગુજરાતી, સંસ્કૃત, ફારસી, અરબી, વ્રજ ભાષાના સાહિત્ય સર્જક, અનુવાદક, કવિ અને ગુજરાતી ગઝલના પિતા અને કલાપી જેવા દિગ્ગજ ગઝલકારની ભેટ આપનાર સંગીત અને પુરાતત્વવિદ ગુજરાતી સાહિત્યકાર. 

 

 

 

 

૧૮
મે

બર્ટ્રાન્ડ રસેલ

જન્મ : ૧૮.૫.૧૮૭૨ , (મોન્મથ, ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ૩.૨.૧૯૭૦.
પ્રથમ વિશ્વ યુધ્ધના વિરોધી, તત્વજ્ઞાની, માનવાય આદર્શો અને વિચાર સ્વાતંત્ર્યને લગતા લેખો લખનાર, કલિંગ પારિતોષિક વિજેતા, મહાન વિચારક, પ્રિંસિપલ્સ ઑફ મેથેમેટિક્સના સર્જક, રોયલ સોસાયટીના ફેલો અને અણુ નિ:શસ્ત્રીકરણ સમિતિના સ્થાપક.

 

 

 

 

૧૯
મે

સર જમશેદજી તાતા

જન્મ : ઇ.સ. ૧૮૩૯ , (નવસારી) ,
મૃત્યુ : ૧૯.૫.૧૯૦૪.
ભારતના અદ્યતન ઉદ્યોગોના પ્રણેતા, આદ્યપિતા અને ઔદ્યોગિક ક્ષેત્રે રાક્ષસી કદના સંગઠનો સર્જનાર ભારતના સરળ, નિખાલસ, સફળ, દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ અને તાતા સ્ટીલના સ્થાપક.

 

 

 

 

૨૦
મે

શ્રી બિપિનચંદ્ર પાલ

જન્મ : ૭.૧૧.૧૮૫૮ , (બંગાળ) ,
મૃત્યુ : ૨૦.૫.૧૯૩૨.
સામાજિક ક્રાંતિ-જાગૃતિથી મહાન સેવા કરનાર, જેમના કારણે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઇ તેવા મહાન દેશભક્ત, પ્રખર પત્રકાર, અનેક સામયિકોના માલિક, ગામડાઓના હિમાયતી, નવી પેઢીને બળ આપનાર દેશસેવક.

 

 

 

 

૨૧
મે

ક્રિસ્ટોફર કોલંબસ

જન્મ : ઇ.સ. ૧૪૫૧ , (જિનિવા) ,
મૃત્યુ :૨૧.૫.૧૫૦૬
અજાણ્યા એટલાન્ટિક મહાસાગરમાં ઝંપલાવનાર, પરાક્રમી, અમેરિકા ખંડના શોધક, વણકર પુત્ર, સાગરખેડૂ, અનેક ટાપુઓના શોધક અને નૌકાધિપતિ.

 

 

 

 

૨૨
મે

રાજા રામમોહન રાય

જન્મ : ૨૨.૫.૧૭૭૨ , (બર્દ્વાન, બંગાળ) ,
મૃત્યુ : ૨૭.૯.૧૮૩૩.
ભારતની વૈચારિક ક્રાંતિના આદ્ય-પ્રણેતા, સતી રિવાજના પ્રખર વિરોધી, અનેક ભાષાઓના જાણકાર, વિવિધ સમાજોના અભ્યાસી, તેજસ્વી લેખક અને ભારતીય સંસ્કૃતિના પુનરુત્થારક, ધર્મ-વિચારક, સમાજસુધારક, કેળવણીકાર અને દેશપ્રેમી પત્રકાર.

 

 

 

 

૨૩
મે

રાલ્ફ વાલ્ડો એમર્સન

જન્મ : ૨૩.૫.૧૮૦૩ , (બોસ્ટન, અમેરિકા) ,
મૃત્યુ : ઇ.સ. ૧૮૮૨.
અર્વાચિન યુગના આર્સઃઅદ્રષ્ટા, અમેરિકન ઋષિ, મુગ્ધ અવાજના માલિક, આનંદશાસ્ત્રના સ્થાપક અને અધ્યાપક, અનેક ઉત્તમોત્તમ સાહિત્યના સર્જક અને મહાન વિચારક.

 

 

 

 

૨૪
મે

નિકોલસ કોપરનિક્સ

જન્મ : ૧૯.૨.૧૪૭૩. (પ્રશિયા, જર્મની)  ,
મૃત્યુ : ૨૪.૫.૧૫૪૩.
વિશ્વના મહાન વિજ્ઞાની, ખગોળશાસ્ત્રી, વિદ્વાન અને લોકપ્રિય  ડૉક્ટર, ક્વૉન્ડ્રમ સાધનના શોધક, સૂર્યમંડળનો સિધ્ધાંત આપનાર, ખગોળના અનેક સિધ્ધાંતો આપનાર અને એરિસ્ટોટલના વાદને પડકારનાર મહાન ખગોળશાસ્ત્રી.

 

 

 

 

૨૫
મે

શ્રી જે. કૃષ્ણામૂર્તિ

જન્મ : ૨૫.૫.૧૮૯૫, (......)  ,
મૃત્યુ : ૧૭.૨.૧૯૮૬.
માનવજાતને આંતખોજની કેડી પર આગળ ધપાવનાર, વિશ્વચિંતક, ભારત અની વિદેશોમાં અનેક સર્વાંગી શિક્ષણસંસ્થાઓ સ્થાપનાર, શિક્ષણ અને સંસ્કાર પરના અનેક ગ્રંથોના મહાન ભારતીય સર્જક.

 

 

 

 

૨૬
મે 

એલેકજ્ગાન્ડર પુશ્કિન

જન્મ : ૨૬.૫.૧૭૯૯, (મોસ્કો) ,
મૃત્યુ : ૨૭.૧.૧૮૫૧.
પોતાની માતૃભાષાના સહિત્યસરજી, સંસ્કારજીવનના ઘડવૈયા, 'રૂસલા આ લી' ના સર્જક, નાટ્યકાર, સાહિત્યકાર અને આજના રશિયાના ખરેખર સર્જક.

 

 

 

 

૨૭
મે

શ્રી કેશવદેવ માલવિયા

જન્મ : ૧૦.૬.૧૯૦૩ , (અલ્હાબાદ) ,
મૃત્યુ : ૨૭.૫.૧૯૮૧.
ખનીજ તેલના સંશોધનથી ભારતમાં એક નવા ક્રાંતિકારી યુગના મંડાણ કરનાર, તેલ વિશેષજ્ઞ, સક્રીય રાજકરણી, રાજપુરૂષ, પ્રકૃતિક અને વૈજ્ઞાનિક સંસાધનોના સંસદીય સચિવ રહી ચૂકેલા અને ભારતના ઔદ્યોગિક વિકાસકાર.

 

 

 

 

૨૮
મે

વીર વિનાયકરાવ સાવરકર

જન્મ : ૨૮.૫.૧૮૮૩ , (મુંબઇ) ,
મૃત્યુ : ૨૬.૨.૧૯૬૬.
પરાક્રમી, વિશ્વવિખ્યાત અને સ્વાતંત્ર્યસેનાની, ક્રાંતિયુધ્ધના સર્જક, નવલકથાકાર, કવિ અને દેશભક્ત.

 

 

 

 

૨૯
મે

સર હમ્ફ્રી ડેવિ

જન્મ : ઇ.સ. ૧૭૭૮ , (કાર્નવૉલ, ઇંગ્લેન્ડ), 
મૃત્યુ : ૨૯.૫.૧૮૨૯.
ડેવીડના અભય દીવાથી પ્રસિધ્ધ બનેલા વિશ્વના મહાન રસાયણશાસ્ત્રી, ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સાઇડ પર અનેક સંશોધન કરનાર, રૉયલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને પ્રમુખ,  રેડ સિગ્નલના શોધક, એસિડમાં હાઇડ્રોજનનું મહત્વ સમજાવનાર મહાન વૈજ્ઞાનિક.

 

 

 

 

30
મે

કુ. જોન ઑવ આર્ક

જન્મ : ઇ.સ. ૧૪૧૩ , (ફ્રાન્સ) ,
મૃત્યુ : ૩૦.૫.૧૪૩૧.
બ્રિટન જેના યશોગાન ગાય છે તે ફ્રાન્સના સ્વાતંત્ર્યદેવી.

 

 

 

 

31
મે

 કવિ 'શયદા'

જન્મ : ઇ.સ. ૧૮૯૭ , (ધોલેરા) ,
મૃત્યુ : ૩૧.૫.૧૯૬૨.
ગુજરાતી ભાષા-સાહિત્યમાં ધીર-ગંભીર, માર્મિક, સરળ ભાષાપ્રયોગ ભાવોનો સુમેળ, વિચારોની ગહનતા ધરાવતા ગઝલ-કાવ્યોના સમ્રાટ, સંસ્કારનૌકા નાટકના સર્જક, આકાશવાણી મુશાયરાના પ્રમુખ,

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

..... 'કુમાર' અને અન્ય સાહિત્યમાંથી સંકલન .....