"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

MAHITI


 

 

 

ફેબ્રુઆરી માસના વ્યક્તિ-વિશેષ

 

 

 

 

૧ ફેબ્રુઆરી

શ્રી મોતીભાઇ અમીન

જન્મ : ૨૯.૧૧.૧૮૭૩, (અલિન્દ્રા, ગુજરાત),   
મૃત્યુ : ૧.૨.૧૯૩૯.

આદર્શ અને સિધ્ધાંતનિષ્ઠ, કુશળ વહીવટદાર, દક્સ અને માનવવાદી શિક્ષક, સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી, સમાજ સેવક અને પ્રજાકેળવણીકાર.

 

 

 

 

૨ ફેબ્રુઆરી

ડૉ.હેનરી હેવલોક એલિસ

જન્મ : ૨.૨.૧૮૫૯, (ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ઇ.સ. ૧૯૩૯.
યૌનવિજ્ઞાનના મુખ્ય પ્રણેતા, વિશ્લેષક, મનોચિકિત્સક અને વૈજ્ઞાનિક અને સાહિત્યકાર.

 

 

 

 

૩ ફેબ્રુઆરી

રાજકુમારી અમૃત કૌર

જન્મ : ૩.૨.૧૮૮૪, (લખનૌ),
મૃત્યુ : ઇ.સ. ૧૯૬૪.

ભારતીય મહિલાઓમાં રાજકારણ, સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે અગ્રિમા સ્થાન સર્જનાર, ભારતના પ્રથમ મહિલા શિક્ષણ સલાહકાર, ક્રાંતિકારી, દેશભક્ત, બાળલગ્નો, દહેજ, પડદાપ્રથાના વિરોધી અને સક્રિય સમાજસેવક.

 

 

 

 

૪ ફેબ્રુઆરી

પ્રો.સત્યેન બોઝ

જન્મ : ૧.૧.૧૮૯૪ , (કલકત્તા),
મૃત્યુ : ૪.૨.૧૯૭૪.

ભૌતિક વિજ્ઞાનના ઊંડા અભ્યાસી, વિશ્વભારતી યુનિ.ના કુલપતિ, તજ્જ્ઞ, સંશોધક, પ્રાધ્યાપક, અવકાશમાં રેડિયો તરંગોનું પૂર્ણ પરાવર્તન, શ્રોડિંજર સમીકરણના ઉકેલ, ઝિમેન અસર અને ફોટોન સંબંધિત શોધોમાં મહત્વની જાણકારી આપનાર સમૃધ્ધ જ્ઞાનભંડારી.

 

 

 

 

૫ ફેબ્રુઆરી

થોમસ કાર્લાઇલ

જન્મ : ૪.૧૨.૧૭૯૫ , (ડમ્ફ્રીશાયર),
મૃત્યુ : ૫.૨.૧૮૮૧.

વિક્ટોરિયન યુગના સમાજ-જીવનના સમર્થ વિશ્લેષક, ઘડવૈયા, પથદર્શક, મહાન ચિંતક, ઇતિહાસકાર અને ભાષા-સાહિત્યકાર.

 

 

 

 

૬ ફેબ્રુઆરી

પંડિત મોતીલાલ નહેરૂ

જન્મ : ૬.૫.૧૮૬૧ , (આગ્રા),
મૃત્યુ : ૬.૨.૧૯૩૧.

દેશ માટે અમીરી છોડી ફકીરી લેનાર, ભારતના પ્રથમ વડાપ્રધાનના પિતા, ત્યાગમૂર્તિ, રાષ્ટ્રપ્રેમી, સ્વતંત્રતા સેનાની, અલ્હાબાદની કોર્ટાના નામી વકીલ અને ચતુર દેશભક્ત.

 

 

 

 

૭ ફેબ્રુઆરી

શ્રી જગન્નાથ ત્રિપાઠી 'સાગર' 

જન્મ : ૭.૨.૧૮૮૩ (જંબુસર) ,
મૃત્યુ : ૧૭.૮.૧૯૩૬.

ગુજરાતી કવિ-શાયર, સૂફીવાદી તત્વચિંતક અને કલાપીના ખાસ મિત્ર, ગઝલકાર અને વેદાંતી કવિ.

 

 

 

 

૮ ફેબ્રુઆરી

ડૉ. ઝાકીર હુસેન

જન્મ : ૮.૨.૧૮૯૭ , (હૈદ્રાબાદ),
મૃત્યુ : ૩.૫.૧૯૬૯.

ભારતના રાષ્ટ્રપતિ, કેળવણીકાર, ઉમદા દેશભક્ત, સલસ સજ્જન, આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામનાર, બુનિયાદી શિક્ષણના હિમાયતી અને ચુસ્ત ગાંધીવાદી.

 

 

 

 

૯ ફેબ્રુઆરી

શ્રી દયારામ

જન્મ : ૧૮.૮.૧૭૭૭ , (ચાણોદ),
મૃત્યુ : ૯.૨.૧૮૫૨

ગુજરાતણોના કવિ, ભક્તિશાસ્ત્રોના મર્મોના શિખરો સર કરનાર ભારતના આદિ કવિ.

 

 

 

 

૧૦ ફેબ્રુઆરી

શ્રી ગોપાલસ્વામિ આયંગર

જન્મ : ૩૧.૩.૧૮૮૨ , (મદ્રાસ),
મૃત્યુ : ૧૦.૨.૧૯૫૩.

દેશસેવાથી ભારતના રાજકીય ઇતિહાસમાં ગૌરવભર્યુ સ્થાન મેળવનાર, રાષ્ટ્ર-વફાદારીનું પ્રતિક, સફળ શિક્ષણકાર, પ્રથમ પ્રધાનમંડળમાં વાહનવ્યવહાર ખાતુ સંભાળનાર, પ્રતિભાશાળી દેશભક્ત.

 

 

 

 

૧૧ ફેબ્રુઆરી

થોમસ આલ્વા એડિસન

જન્મ : ૧૧.૨.૧૮૪૭ , (મિલાન-અમેરિકા),
મૃત્યુ : ૧૮.૧૦.૧૯૩૧.

રોજના ૧૮ કલાક કામ કરીને વિક્રમ સર્જનાર, સતતા છ વર્ષ સુધી દર છ માસે એક નવી શોધ કરનાર, ૮૪ વર્ષની આયુમાં કુલ ૩૦૦૦ જેટલી શોધો કરનાર, શિક્ષક અને મહાન વૈજ્ઞાનિક.

 

 

 

 

૧૨ ફેબ્રુઆરી

એન્ડ્રુસ 'દીનબંધુ'

જન્મ : ૧૨.૨.૧૮૭૧ , (ન્યૂ કેસલ-ઇગ્લેન્ડ),
મૃત્યુ : ૫.૪.૧૯૪૦.

પીદિતોની સેવા કરવ્વ ભારત આવેલા માનવસેવક, ગાંધી-ટાગોરના આત્મજન, મધરલેન્ડ કાવ્ય સંગ્રહના રચયિતા, કવિ, શિક્ષણના પ્રયોગોમાં સક્રિય રહેનાર સાધુચરિત.

 

 

 

 

૧૩ ફેબ્રુઆરી

શ્રીમતિ સરોજિની નાયડુ

જન્મ : ૧૩.૨.૧૮૭૯ , (હૈદ્રાબાદ),
મૃત્યુ : ૨.૩.૧૯૪૯.

દેશભકે, ક્વિયિત્રી, 'હિન્દના બુલબુલ', સ્ત્રી-સેવા, સમાજસેવા અને સ્ત્યાગ્રહની લડતમાં અગ્રગણી, લેખિકા, વાર્તાકાર અને પ્રખર વક્તા.

 

 

 

 

૧૪ ફેબ્રુઆરી

કેપ્ટન જેમ્સ કૂક 

જન્મ : ઇ.સ. ૧૭૨૮ , (ઇગ્લેન્ડ),
મૃત્યુ : ૧૪.૨.૧૭૭૯.

સાગર-સૈનિક, શોધક-સફરી, સમુદ્ર મોહી, 'મર્ક્યુરી' ના કેપ્ટન, અનેક હવાઇ ટાપુઓના શોધક, મહાસાગરની ઉંડાઇ માપનાર, વિટામિન-સીના શોધક.

 

 

 

 

૧૫ ફેબ્રુઆરી

ડો. કાલિદાસ નાગ

જન્મ : ૧૫.૨.૧૮૯૧ , (કલકત્તા),
મૃત્યુ : ૮.૧૧.૧૯૬૬.

વિશ્વયાત્રી, તીક્ષ્ણ બુધ્ધિમતા અને ગહન વિદ્વતાનું પ્રતિક, હેમલિન યુનિ.ના પ્રોફેસર, સંપાદક, ગાંધીજી-રામકૃષ્ણ-વિવેકાનંદના ચારિત્ર્યલેખન માટેના પાશ્ચાત્ય લેખક અને ચિંતક.

 

 

 

 

૧૬ ફેબ્રુઆરી

ડૉ.રઘુનાથ પરાંજપે

જન્મ : ૧૬.૨.૧૮૭૬ , (રત્નાગિરી, મહારાષ્ટ્ર),
મૃત્યુ : ૬.૫.૧૯૬૬.

પ્રખર અજ્ઞેયવાદી, ગણિતવિશારદ, કેમ્બ્રિજની પ્રથમ પ્રતિભા, દેશસેવક, અર્વાચિન ગુરૂ, પોતાનો રૂ.૨૦૦૦૦ ની કિંમતનો વિપુલ ગ્રંથભંડાર ભેટ આપનાર, ગીતાના આદર્શ, નિર્ભય અને ઉંચ્ર્ર વિઅચારશક્તિવાળા ગણિતકેસરી. 

 

 

 

 

૧૭ ફેબ્રુઆરી

શ્રી હરસિધ્ધભાઇ વજુભાઇ દિવેટિયા

જન્મ : ૧૭.૨.૧૮૮૬ , (અમદાવાદ),
મૃત્યુ : ૩.૮.૧૯૬૮.

કેળવણીકાર, મુંબઇ હાઇકોર્ટના ન્યાયાધિશ, ગુજરાત યુનિ.ના પ્રથમ કુલપતિ, તત્વજ્ઞાની, મનોવિજ્ઞાની, કેળવણી અને ન્યાય વિષયક અનેકવિધ સેવાઓ આપનાર.

 

 

 

 

૧૮ ફેબ્રુઆરી

પ્રો.ડૉ.જમશેદજી ચિનોય

જન્મ : ૧૮.૨.૧૯૦૯ , (ભૂજ),
મૃત્યુ : ૧૨.૫.૧૯૭૮.

ગુજરાત યુનિ.માં બોટની વિભાગ શરૂ કરનાર, વિદ્વાન વનસ્પતિશાસ્ત્રી, પોતાના અનેક સંશોધનોથી આંતરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર, ઇન્ટરનેશનલ બોટનિકલ સોસાયટીના ફેલો, વનસ્પતિ કૃધ્ધિમાં એસ્કોર્બિક એસિડનો ફાળો સમજાવનાર, મહાન સંશોધક.

 

 

 

 

૧૯ ફેબ્રુઆરી

આચાર્ય નરેન્દ્ર દેવ

જન્મ : ૩૧.૧૦.૧૮૮૯ , (ફૈઝાબાદ) ,
મૃત્યુ : ૧૯.૨.૧૯૫૬.

ભગવાન બુધ્ધ-કાર્લ માર્કસ- ગાંધી ફિલસૂફીનો જીવન અને વિચારમાં અસાધારણ સમાન્વય કરનાર, રાજકીય આગેવાન અને ચિંતક, દેશસેવક, સ્પષ્ટ વિચારક, અસાધારણ વક્તા, મહાન કેળવણીકાર અને વિદ્વાન તત્વચિંતક.

 

 

 

 

૨૦ ફેબ્રુઆરી

જહોન  કીટ્સ

જન્મ : ૨૯.૧૦.૧૭૯૫ , (લંડન) ,
મૃત્યુ : ૨૦.૨.૧૮૨૧.

વિશ્વ સાહિત્યકાર, પાંચ વર્ષની ઉંમરથે જ કાવ્યોની રચના કરનાર મહાન કવિ.

 

 

 

 

૨૧ ફેબ્રુઆરી

ડૉ. શાન્તિસ્વરૂપ ભટનાગર

જન્મ : ૨૧.૨.૧૮૯૫ , (પેરિસ) ,
મૃત્યુ : ૧.૧.૧૯૫૫.

દેશમાં વિજ્ઞાનનું ગૌરવ વધારનાર, આચાર્ય, સમર્થ વૈજ્ઞાનિક, અનેક વિજ્ઞાન પરિષદોના પ્રમુખ, દેશના કાચા માલનો કોશગ્રંથ તૈયાર કરનાર, દેશમાં રિફાઇનરીઓ ઉભી કરાવનાર અને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓની યોજનાઓ કરનાર. 

 

 

 

 

૨૨ ફેબ્રુઆરી

શ્રીમતિ કસ્તુરબા ગાંધી

જન્મ : એપ્રિલ-૧૮૬૯ , (પોરબંદર) ,
મૃત્યુ : ૨૨.૨.૧૯૪૪.

ગાંધીજીના જીવન સંગિની, ગાંધીજીની દરેક પ્રવૃત્તિઓમાં વફાદાર અને સહભાગીદાર, કર્તવ્યનિષ્ઠ અને સ્વતંત્ર વ્યક્તિત્વવાળા.

 

 

 

 

૨૩ ફેબ્રુઆરી

શ્રી ચાંપરાજભાઇ શ્રોફ

જન્મ : ૨૩.૨.૧૯૦૯ , (કચ્છ) ,
મૃત્યુ : ૩.૧.૧૯૬૮.

ઉદ્યોગોના જનક, સ્વાવલંબી, પ્રામાણિક પુરૂષાર્થી, મુંબઇમાં 'એક્સેલ' કારખાનુ સ્થાપનાર, રમકડા-કેમિકલ્સ અને ફટાકડાના કારખાનાઓ સ્થાપનાર.

 

 

 

 

૨૪ ફેબ્રુઆરી

જ્યોર્જ વૉશિંગ્ટન

જન્મ : ૨૪.૨.૧૭૩૨. (વર્જિનિયા)  , મૃત્યુ : ડિસેમ્બર, ૧૭૯૯.
સાંસ્થાનિક સામ્રાજ્ય સામેના સર્વ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામી, અમેરિકાની સ્વતંત્ર જાહેર કરનાર, અમેરિકાના પ્રથમ પ્રમુખ અને બંધારણ અને લોકશાહીના ઘડવૈયા.

 

 

 

 

૨૫ ફેબ્રુઆરી

શ્રી રવિશંકર મહારાજ

જન્મ : ૨૫.૨.૧૮૮૪, (રઢુ-ખેડા)  ,
મૃત્યુ : ૧.૭.૧૯૮૪.

પ્રખર ગાંધીવાદી, સેવાના ભેખધારી, જનસમાજમાં માણસાઇના દીવા પ્રગટાવનાર, 'હિંદ સ્વરાજ'નું ગામેગામ પગપાળા વેચાણ કરનાર અને સરદારના જમણા હાથ.

 

 

 

 

૨૬ ફેબ્રુઆરી

શ્રી ચાંપશીભાઇ ઉદેશી

જન્મ : ૨૪.૪.૧૮૯૨, (ટંકારા) ,
મૃત્યુ : ૨૬.૨.૧૯૭૪.

ગુજરાતી ખાયતનામ સાહિત્યકાર, નીડર પત્રકાર, નવચેતનના તંત્રી, અભિનેતા, ફિલ્મોના સમીક્ષક, શિક્ષક અને યુવા પેઢીના ઘડવૈયા.

 

 

 

 

૨૭ ફેબ્રુઆરી

શ્રી ચંદ્રશેખર 'આઝાદ'

જન્મ : ઇ.સ. ૧૯૦૫ , (ભાવરા-મધ્યપ્રદેશ) ,
મૃત્યુ : ૨૭.૨.૧૯૩૧.

ક્રાંતિદળના સેનાપતિ, સાહસી, દેશ માટે જીવનાર અને શહિદ થનાર, મહાન ક્રાંતિવીર.

 

 

 

 

૨૮ ફેબ્રુઆરી

શ્રીમતિ કમલા નહેરૂ

જન્મ : ૧.૮.૧૮૯૯ , (દિલ્હી) ,
મૃત્યુ : ૨૫.૨.૧૯૩૬.

સરળ, સાદા, સ્વાતંત્ર્યની ચળવળના નીડર સત્યગ્રહી, જવાહરલાલના પત્નિ, દેશના રાજકીય સેવક.

 

 

 

 

૨૯ ફેબ્રુઆરી

શ્રી મોરારજીભાઇ દેસાઇ

જન્મ : ૨૯.૨.૧૮૯૬ , (ભદેલી-વલસાડ) ,
મૃત્યુ : .......

કુશાગ્ર રાજનૈતિજ્ઞ, ન્યાયનિષ્ઠ, સદા અને સરળ, ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ગુજરાતી વડાપ્રધાન.

 

 

 

 

 

 

 

 

 

..... 'કુમાર' અને અન્ય સાહિત્યમાંથી સંકલન .....