"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

MAHITI


 

 

 

જુલાઇ માસના વ્યક્તિ-વિશેષ

 

 

 

 

૧ જુલાઇ

ડૉ. વિદ્યાનચંદ્ર રાય

જન્મ : ૧.૭.૧૮૮૨, (પટણા) 
મૃત્યુ : ૧.૭.૧૯૬૨.

દેશના પ્રશ્નોના યશસ્વી દાક્તર, FRCS-ઇંગ્લેન્ડ પદવી લીધા બાદ કોલકત્તા યુનિ.ના પ્રોફેસર, સેનેટ સભ્ય અને પછી વાઇસ ચાન્સેલર બની પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા. માયાળુ ર્હ્દય, કર્તવ્યનિષ્ઠ, ઉંચી બુધ્ધિમતા અને સેવાભાવી વૃત્તિ ધરાવનાર દેશસેવક.

 

 

 

 

૨ જુલાઇ

ડૉ. સેમ્યુઅલ હાનેમાન

જન્મ : ૧૦.૪.૧૭૫૫, (ચિતારા-જર્મની),
મૃત્યુ : ૨.૭.૧૮૪૩.
પોતે ઝેર ખાઇ-ખાઇને જગતને જીવાડાવાની દવાઅઓના શોધક, સતત ચિંતન, અભ્યાસ, અખતરાને અંતે સામ્યોપચાર પધ્ધતિના શોધક, લેખક, પોતાની શોધો પાછળ ગરીબ બનનાર, આજની હોમિયોપેથિક સારવારના દસ ગ્રંથોના રચયિતા અને પ્રણેતા.

 

 

 

 

૩ જુલાઇ

જિન જેક્સ રૂસો

જન્મ : ૨૮.૬.૧૭૧૨, (ફ્રાન્સ),
મૃત્યુ : ૩.૭.૧૭૭૮.

શિક્ષણક્ષેત્રે પ્રકૃતિવાદી વિચારધારક, કેળવણી ચિંતક, પ્રજાકીય શાસનના હિમાયતી, ફ્રાંસની ક્રાંતિના જંક, બાળકેન્દ્રી કેળવણીના પ્રખર સમર્થક, શિક્ષણ ફિલસૂફ, ક્રાંતિકારી વિચારધારાવાળા અને બાળ-અભ્યાસની વિશ્વ-ચળવળનો પાયો નાખનાર મહાન કેળવણીકાર. 

 

 

 

 

૪ જુલાઇ

જિસેપ ગેરીબાલ્ડી

જન્મ : ૪.૭.૧૮૦૦ , (નાઇસ-ઇટાલી),
મૃત્યુ : ૨.૬.૧૮૮૨.

પ્રખર પ્રજાસત્તાવાદી, ઇટાલીને સ્વતંત્રતા અપાવનાર, દેશભક્ત, લાલ ખમીસધારી, પહેલા ખલાસી અને પછી કપ્તાન બની પોતે ઉભી કરેલી સેના દ્વારા ત્રણ જ અઠવાડિયામાં ઇટાલીને મૂક્ત કરાવનાર ક્રાંતિકારી.

 

 

 

 

૫ જુલાઇ

સેસિલ ર્હોડ્ઝ

જન્મ : ૫.૭.૧૮૫૩ , (ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ઇ.સ. ૧૯૦૨.

મહાન સમાજસુધારક, તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કરનાર, રાજ્યશાસ્ત્રી, આફ્રિકામાં રહી સામાજિક,રાજકીય અને સાહિત્યિક પ્રશ્નોના સમાજસુધારક.

 

 

 

 

૬ જુલાઇ

વિલિયમ ફૉકનર

જન્મ : ૨૫.૯.૧૮૯૭ , (મેસિસિપી-અમેરિકા),
મૃત્યુ : ૬.૭.૧૯૬૨.

ઇંગ્લેન્ડમાં જઇને વસેલા નવલકથાઓ, નવલિકાઓ, ફિલ્મોની સ્ટોરીથી લઇ અંગ્રેજી સાહિત્યને મજબૂત અને સમૃધ્ધ બનાવનાર નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર.

 

 

 

 

૭ જુલાઇ

મેડમ મેરી ક્યુરી

જન્મ : ૭.૧૧.૧૮૬૭ (વર્સો-પૉલેન્ડ) ,
મૃત્યુ : ૭.૭.૧૯૩૪

યુરેનિયમ અને લગ્ન પછી થોરિયમની શોધ કરનાર, પ્રેરણાત્મક, માર્ગદર્શક, પ્રવૃત્તિસભર, ગરીબી-મહત્વાકાંક્ષી અને નિસ્પૃહતાયુક્ત પુરૂષાર્થવાળું જીવન જીવનાર અને વિરલ સિધ્ધિ મેળવનાર 'રેડિયમ-જનેતા'.

 

 

 

 

૮ જુલાઇ

શ્રી ચિનુભાઇ પટવા 'ફિલસુફ'

જન્મ : ૨૬.૧૦.૧૯૧૧ (અમદાવાદ),
મૃત્યુ : ૮.૭.૧૯૬૯.

રમત-ગમત, વ્યાયામ, પ્રવાસ, પત્રકારિત્વ, મિત્રોના શોખીન, ફિલ્સૂફ, કુશળ વક્તા, વિનોદીવૃત્તિવાળા, રાષ્ટ્રીય લડતમાં ભાગ લેનાર, મુંબૈ સુધીનો સાયકલ પ્રવાસ ખેડનાર, શહીદવીર, દિર્ઘદ્રષ્ટ્રિવાળા, તર્કસંગત દલિલબાઝ હાસ્યલેખક.

 

 

 

 

૯ જુલાઇ

પર્સી બિશે શેલી

જન્મ : ઇ.સ. ૧૭૮૯, (ઇંગ્લેન્ડ),
મૃત્યુ :૯.૭.૧૮૧૯.

અધાર્મિક પુસ્તક લખી તરછોડાયેલા, દુ:ખી લગ્ન-જીવન ધરાવતા, પોતાના કાવ્યસંગ્રહોથી વિશ્વ-સાહિત્યકાર તરીકે ખ્યાતિ મેળવનાર, અલ્પાયુષી.

 

 

 

 

૧૦ જુલાઇ

ક્રિકેટર સુનિલ ગાવસ્કર

જન્મ : ૧૦.૭.૧૯૪૯ , (મુંબઇ),
મૃત્યુ : ......

મુંબઇની રણજી ટીમમાં જોડાઇ ૨૧-વર્ષની વયે ભારતીય ક્રિકેટટીમમાં સ્થાન મેળવી ક્રિકેટ-સમ્રાટ બનનાર, ક્રિકેટરોના રેકૉર્ડ તોડનાર, ભારતીય ક્રિકેટ-દુનિયાનો મહાન અને સફળ ફટકાબાજ. 

 

 

 

 

૧૧ જુલાઇ

શ્રી બહેરમજી મલબારી

જન્મ : ૧૮.૫.૧૮૧૩ , (વડોદરા),
મૃત્યુ : ૧૧.૭.૧૯૧૨.

જન્મે પારસી, ગુજરાતી-અંગ્રેજી ભાષામાં કાવ્યોની રચના કરનાર, અગ્રણી પત્રકાર, મુંબઇના 'સેવાસદન' ના સ્થાપક, વિચાર-ચિંતક, આંતરરાષ્ટ્રીય ભારતીય પ્રતિનિધિત્વ કરનાર, કવિ, સમાજ-સુધારક, સંપાદક, બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારતના ગુર્જર-રત્ન.

 

 

 

 

૧૨ જુલાઇ

હેન્રી ડેવિડ થૉરો

જન્મ :૧૨.૭.૧૮૧૭ , (માસાચુસેટ્સ-અમેરિકા),
મૃત્યુ : ૬.૫.૧૮૬૨.

ગાંધીજીના 'ગુરૂ', પ્રકૃતિપ્રેમી, પ્રકૃતિવિદ, શિક્ષક, લેક્ચરર અને પછી લેખકનો વ્યવસાય કરનાર.

 

 

 

 

૧૩ જુલાઇ

શ્રી છોટુભાઇ પુરાણી

જન્મ : ૧૩.૭.૧૮૮૫ , (ડાકોર-ગુજરાત),
મૃત્યુ : ૨૨.૧૨.૧૯૫૦.

બીકણ, ખુલ્લા શરીરને બિભત્સ ગણનારા, ગુજરાતીઓને અંગ-કસરત અને શરીર સૌષ્ઠવના પાઠ શીખવનાર, યુવા પેઢીની શારીરિક નબળાઇઓ દૂર કરવાનો દ્રઢ સંકલ્પ કરનાર, વ્યાયામ પ્રવૃત્તિવાદી, અખાડાઓના જન્મદાતા.

 

 

 

 

૧૪ જુલાઇ

ડૉ.મધુસુદન પારેખ 'પ્રિયદર્શની'

જન્મ : ૧૪.૭.૧૯૨૩ , (હાંસોટ-સુરત),
મૃત્યુ : ........

હું, શાણી અને શકરાભાઇ-ની કોલમથી વિખ્યાત થયેલા, હળવી શૈલીના લખાણો-લેખો આપનાર, હાસ્યલેખક, ગુજરાતીના અધ્યાપક, પોતાના લખાણો દ્વારા સુરૂચિ, રોચકતા અને રમૂજ આપનાર ગુજરાતી સાહિત્યકાર.

 

 

 

 

૧૫ જુલાઇ

શ્રીમતિ દુર્ગાબાઇ દેશમુખ

જન્મ : ૧૫.૭.૧૯૦૯ , (આંધ્રપ્રદેશ),
મૃત્યુ : ૯.૫.૧૯૮૧.

કાકીન્ડા અધિવેશનના સ્વયંસેવિકા અને તેમાં નહેરૂજીને દરવાજે અટકાવનાર, શિસ્તના હિમાયતી, રાજકીય સેવક, આયોજન પંચના સભ્ય, સમાજકલ્યાણ બોર્ડના અધ્યક્ષ, દેશભક્ત, હિન્દી ભાષાના પ્રચારક તરીકેનો સુવર્ણચંદ્રક મેળવનાર, ભારતના પનોતા પુત્રી.

 

 

 

 

૧૬ જુલાઇ

શ્રી ત્રિભુવનદસ ગજ્જર

જન્મ : ૩.૮.૧૮૬૩ , (વડોદરા),
મૃત્યુ : ૧૬.૭.૧૯૨૦.

મહાન રસાયણશાસ્ત્રી, 'રંગરહસ્ય' અને 'કલાભવન' ના સ્થાપક, મુંબઇ યુનિ.માં રસાયણશાસ્ત્રને ખાસ વિષય તરીકે દાખલ કરાવનાર, 'એલેમ્બિક' ની પ્રેરણા આપનાર, ગુજરાતી વિભૂતિ.

 

 

 

 

૧૭ જુલાઇ

શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક

જન્મ : ૨૨.૨.૧૮૯૨ , (નડિયાદ),
મૃત્યુ : ૧૭.૭.૧૯૭૨.

ગાંધીવાદ-સમાજવાન-સામ્યવાદના ફેલાવાથી લઇ આઝાદી પ્રાપ્તિ સુધીની દરેક પ્રવૃત્તિઓમાં ભાગા લેનાર, પ્રખાર રાજકારણી, લેખક, પારદર્શી, લાગણીશીલ, નીડર, લોકસભા સભ્ય, લોક-લાગણી અને પ્રશ્નોને વાચા આપનાર દેશભક્ત.

 

 

 

 

૧૮ જુલાઇ

શ્રી અમૃત વસંત પંડ્યા

જન્મ : ૨૨.૯.૧૯૧૭ , (જામનગર),
મૃત્યુ : ૧૮.૭.૧૯૭૫.

પ્રબળ જિજ્ઞાસાવૃત્તિ, પુરાતત્વ-ભૂસ્તર, ઇતિહાસ-ભૂગોળ, ખગોળ, પુરાલિપિશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, લોકજીવનની ખાસિયતો-લાક્ષણિકતાઓ જેવા ક્ષેત્રે માહિતીનો ભંડાર ધરાવનાર, ભૂસ્તર-ખનિજ જ્ઞાનકોશના લેખક, પુરાવિદ.

 

 

 

 

૧૯ જુલાઇ

વ્યોમેશચંદ્ર બેનરજી

જન્મ : ૨૯.૧૨.૧૮૪૪ , (કોલકત્તા) ,
મૃત્યુ : ૧૯.૭.૧૮૪૪.

હિન્દી રાષ્ટ્રીય મહાસભા અધિવેશનના પ્રથમ પ્રમુખ, કોલકત્તાની સર્વોચ્ચ અદાલતના ક્લાર્ક, વકીલ, બાળલગ્નોના વિરોધી, લૉ ફેકલ્ટીના અધ્યક્ષ, મહાન દેશભક્ત.

 

 

 

 

૨૦ જુલાઇ

રાય કૃષ્ણદાસજી

જન્મ : ૫.૧૧.૧૮૯૨, 
મૃત્યુ : ૨૦.૭.૧૯૮૦

બુધ્ધિકૌશલ, હિન્દી કલાસાધક, વિશાળ પુસ્તક ભંડારના માલિક, ચિત્રો-મૂર્તિઓ-સિક્કાઓ-હાથીદાંત-વિવિધ રાશી કિત્રો-તાંબા-પિત્તળની કલાત્મક ચિજો-સાહિત્ય કૃતિઓ વગેરેનો સંગ્રહ કરી ભારત કલા ભવનને પોતાનો આ ખજાનો અર્પણ કરનાર, ક્લા મર્મજ્ઞ અને નીતિનિષ્ઠ.

 

 

 

 

૨૧ જુલાઇ

શ્રી ઉમાશંકર જોષી

જન્મ : ૨૧.૭.૧૯૧૧, (બામણા-ઇડર) , 
મૃત્યુ : .......

વર્ગને સ્વર્ગ સમજનાર, અધ્યાપક, કેળવણીકાર, અર્વાચિન યુગના મહાન કવિ, રાષ્ટ્રીયતાના પાઠ ભણાવનાર, ગુજરાત યુનિ.ના ભાષાભવનના નિયામક અને કુલપતિ, સાહિત્ય પરિષદના પ્રમુખ, મહાન સાહિત્યશાસ્ત્રી, જ્ઞાન-પીઠ એવોર્ડ અને રણજીતરામ સુવર્ણ-ચંદ્રકથી વિભૂષિત વિશ્વ-વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર.

 

 

 

 

૨૨ જુલાઇ

ડૉ. જેમ્સ હેન્રી કઝિન્સ

જન્મ : ૨૨.૭.૧૮૭૩, (બેલફાસ્ટ),
મૃત્યુ : ૨૦.૨.૧૯૫૬.

ભારતને પોતાનું કાયમ વતન બનાવી જયરામ નામથી નાગરિકત્વ મેળવી ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરનાર, પ્રતિભાવાન, ઉદારચિત્ત, કલાવિષેશજ્ઞ, કાવ્યો અને નાટકોના સંગ્રહને રચનાર, ન્યૂ ઇન્ડિયા મુખપત્રના ઉપમંત્રી, બ્રહ્મવિદ્યા ધર્મ સંસ્થાના સંચાલક, ભારતના વિદેશી સેવક.

 

 

 

 

૨૩ જુલાઇ

લોકમાન્ય બાળ ગંગાધર તિલક

જન્મ : ૨૩.૭.૧૮૫૬ , (ચીખલી-મહારાષ્ટ્ર) ,
મૃત્યુ : ૧.૮.૧૯૨૦.

આઝાદીના આંદોલનને શિક્ષિત વર્ગથી આમપ્રજા સુધી લઇ જનાર સંગ્રામી, વેધક બુધ્ધિ, અદમ્ય સંકલ્પના શક્તિ, સ્પષ્ટ વિચારશક્તિ, ૮૦૦ દંડ બેઠકો કરનાર, દેશદાઝી, પત્રકાર, ચિત્ત-કર્મયોગી, રાષ્ટ્રીય દેશ-ભકત.  

 

 

 

 

૨૪ જુલાઇ

ડૉ. જ્યોર્જ વિલ્સન

જન્મ : ઇ.સ. ૧૮૭૭ (આયર્લેન્ડ) ,
મૃત્યુ : ૨૪.૭.૧૯૫૯.

ભારતમાં ઉપદેશ આપવાનો પરવાનો મેળવી ખ્રિસ્તી ધર્મોપદેશક બનનાર, ગુજરાત કૉલેજના આચાર્ય, ફોટોગ્રાફર, ડૉ. ઓફ ડિવિનિટી થનાર, સર્વના સેવાચાકર, 'કુમાર'ના આજીવન શુભેચ્છક, પ્લેગ અને દુષ્કાળમાં મહત્વની કામગીરી કરનાર.

 

 

 

 

૨૫ જુલાઇ

શ્રી રમણ મહર્ષિ

જન્મ : ૨૯.૧૨.૧૮૯૬ (અરૂણાચલ) ,
મૃત્યુ : ૨૫.૭.૧૯૫૦.

વિરલ વ્યક્તિત્વ, ઓછાબોલા, માર્મિક વાણીના માલિક, પૂર્ણ પુરૂષ, સંસરી વૈજ્ઞાનિક, ચમત્કારિક, ભારતના બહુરત્ના વસુંધરા.

 

 

 

 

૨૬ જુલાઇ

જ્યોર્જ બર્નાડ શૉ

જન્મ : ૨૬.૭.૧૮૫૬ (હર્ટફર્ડ),
મૃત્યુ : ઇ.સ. ૧૯૫૦.

લંડનના જાણીતા લેખક-વિવેચક, આંતરરાષ્ટ્રીય વિભૂતિ, નવલકથાકાર, વિવેચક, પ્રખર નાટ્યકાર, ઓર્ડર ઓફ મેરિટની પદવીને તરછોડનાર, વિશિષ્ટ વ્યક્તિત્વવાળા, વિશ્વ-વિભૂતિ.

 

 

 

 

૨૭ જુલાઇ

શ્રી પુનિત મહારાજ

જન્મ : ૧૯.૫.૧૯૦૮ , (અમદાવાદ) ,
મૃત્યુ : ૨૭.૭.૧૯૬૨.

ગરીબીમાં જન્મેલા ભજનોની રમઝટ બોલાવનાર, બાળકૃષ્ણમાંથી પુનિત બનનાર, કોરલ આશ્રમ-પુનિત સેવાશ્રમ અને જનકલ્યાણ સામયિકના સ્થાપક, નરસિંહ મહેતાના બીજા અવતાર.

 

 

 

 

૨૮ જુલાઇ

શ્રી ઇશ્વરચંદ્ર 'વિદ્યાસાગર'

જન્મ : ૨૬.૯.૧૮૨૦ (પ.બંગાળ),
મૃત્યુ : ૨૮.૭.૧૮૯૧.

ભારતના મહાન સમાજસુધારક, કેળવણીકાર, સંસ્કૃતના પ્રચંડ પંડિત, સાહિત્ય-વેદો-ન્યાય-અલંકારશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના અભ્યાસી, ભારતની રાષ્ટ્રીય ચેતના અને ચારિત્યના ઘડતરમાં આજીવન મૂલ્યવાન ફાળો આપનાર ભારતના પચંડ અને પ્રકાંડ પંડિત.

 

 

 

 

૨૯ જુલાઇ

શ્રી વિલિયમ વિલ્બરફોર્સ

જન્મ : ૨૪.૮.૧૭૫૯ (ઇંગ્લેન્ડ),
મૃત્યુ : ૨૯.૭.૧૮૩૩.

નક્કર-સ્થાયી અને વ્યાપક માનવહિત સાધનાર, ગુલામ-વેપારના વિરોધી, ગુલામોના મૂક્તિદાતા, બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય, માયાળુ, માનવક્લ્યાણ અને રાજકારણનો સમન્વય સાધનાર, વિરલ કલ્યાણકર્મી.

 

 

 

 

૩૦ જુલાઇ

શિલ્પી હેન્રી મૂર

જન્મ : ૩૦.૭.૧૮૯૮ (યોર્કશાયર),
મૃત્યુ : ?

ઇંગ્લેન્ડની શિલ્પકલાને નવી કેડી આપનાર, લશ્કરી ફરજમાંથી મૂક્ત થઇ શિક્ષણક્ષેત્રમાં આવી સરકારી મદદથી શિલ્પકલાની તાલીમ લઇ વિશ્વ-વિખ્યાત કલાકૃતિઓનું સર્જન કરનાર.

 

 

 

 

૩૧ જુલાઇ

મહર્ષિ શ્રીપાદ દામોદર સાતવળેકર

જન્મ : ૧૯.૭.૧૮૬૭ , (રત્નાગીરી-મહારાષ્ટ્ર) ,
મૃત્યુ : ૩૧.૭.૧૯૬૮.

વૈદિક સાહિત્યના પ્રચારક, સ્વાધ્યાય મંડળના સ્થાપક, ચિત્રકાર, ચારેયા વેદોના ભાષાંતર કરનાર, પંડિત, મહાત્મા ગાંધી એવૉર્ડ મેળવનાર, ભારતના પ્રખર આધ્યાત્મ.

 

 

 

 

 

 

 

 

 

..... 'કુમાર' અને અન્ય સાહિત્યમાંથી સંકલન .....