... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ
અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે
છે, આથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક
ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...
... માસાંતે આવી જ નવી માહિતી ...
... આયુર્વેદ અનુસાર
...
દરેક સામાન્ય રોગો અને
તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.
મિત્રો, ગત અંકમાં તમે કફ વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે
અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
અવાજ (અવાજ બેસી જવો)
(૧) જેઠીમધ, આંબળાં અને સાકરનો ઉકાળો પીવાથી લાભ થાય
છે.
(૨) ભોજન પછી
કાળાં મરી ધીમાં નાખી ખાવાથી લાભ થાય છે.
(3) બહેડાની છાલને ગોમૂત્રમાં ભાવિત કરી
ચૂસવાથી અવાજ સૂરીલો થાય છે.
(૪) દસ દસ ગ્રામ
આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ સિંધવ મેળવી દિવસમાં ત્રણ વાર ભોજન પહેલાં ધીરે
ધીરે પીવાથી અવાજ મધુર થઈ જાય છે.
(પ) ઘોડાવજનું
ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ સૂરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખૂલે
છે.
(૬) દરરોજ રાતે
જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.
(૭) આંબાના
મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે.
(૮) ત્રિફલા, ત્રિકટુ અને જવખારનું ચૂર્ણ પાણીમાં
આપવાથી બેસી ગયેલું ગળું ખૂલી જાય છે.
(૯) કોળાનો અવલેહ
ખાવાથી સ્વરભેદ મટે છે.
(૧૦) ગરમ કરેલા
દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય તો તે ઉઘડે છે.
(૧૧) ગળા પાસે
વધુ પડતું કામ લેવાને કારણે સ્વરહાનિ થઈ હોય તો જાંબુના ઠળિયાનો બારીક પાઉડર એકાદ
નાની ચમચી જેટલો લઈ મધ સાથે દિવસમાં બે ચાર વાર નિયમિત ચાટતા રહેવું.
(૧૨) એક કપ
પાણીમાં એક મોટી ચમચો ઘઉ નાખી ઉકાળી ગાળીને પીવાથી દબાઈ ગયેલો અવાજ ઉઘડવા લાગે છે.
(૧૩) આકડાના
ફૂલના ૩-૪ રેવડામાં ૨-૩ મરી નાખી, ઝીણું વાટી મોંમાં રાખવાથી બળતરા થશે અને
કફ છૂટો પડશે. પછી થોડી જ વારમાં અવાજ ખૂલી જશે.
(૧૪) બોરડીની
છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી બે-ત્રણ દિવસમાં જ અવાજ ઊઘડી જાય છે.
(૧૫) પાકું દાડમ
ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે સુધરે છે.
(૧૬) વધુ પડતું
બોલવાથી કે બૂમો પાડવાથી, ઉજાગરાથી કે અયોગ્ય આહારથી અવાજ બેસી જાય
તો ગરમ પાણીમાં મીઠું મેળવી દિવસમાં પાંચ-સાત વાર કોગળા કરવા તથા હૂંફાળા દૂધમાં
હળદર અને ધી નાખી મિશ્ર કરી પી જવું.
સ્વર સુધારવા
(૧) હરડે, બહેડાં, આમળાં, હળદર અને જેઠી મધ સરખે ભાગે લઈ તેહમાંથી
૧૦-૨0 ગ્રામનો ઉકાળો બનાવી, ગાળી, સવાર-સાંજ કોગળા કરવા. યટીમધુવટી કે
ખદીરાવટી ચૂસવી.
(૨) જેઠીમધ અને
આમળાં સરખે ભાગે લઈ એમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો બનાવી, સાકર મેળવી સવાર-સાંજ પીવો.
અવાજ સુરીલો કરવા
(૧) ૧૦ ગ્રામ આદુનો રસ, ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧ગ્રામ સિંધવ
મેળવી દિવસમાં ત્રણ વાર ધીમે ધીમે પીવાથી અવાજ મધુર થાય છે.
(૨) ઘોડા વૃજનું
ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ મધુર થાય છે.
(3) દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા
ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.
(૪) ફણસના ઝાડની
ડાળીના છેડેની અણીદાર કળીઓ વાટી ગોળી બનાવી મોંમાં મૂકી રાખવાથી ગળું સાફ થઈ કંઠ
ખૂલે છે.
... આયુર્વેદ અનુસાર ...
મિત્રો, ગત અંકમાં તમે કફ વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.
(૧) જેઠીમધ, આંબળાં અને સાકરનો ઉકાળો પીવાથી લાભ થાય
છે.
(૨) ભોજન પછી
કાળાં મરી ધીમાં નાખી ખાવાથી લાભ થાય છે.
(3) બહેડાની છાલને ગોમૂત્રમાં ભાવિત કરી
ચૂસવાથી અવાજ સૂરીલો થાય છે.
(૪) દસ દસ ગ્રામ
આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ સિંધવ મેળવી દિવસમાં ત્રણ વાર ભોજન પહેલાં ધીરે
ધીરે પીવાથી અવાજ મધુર થઈ જાય છે.
(પ) ઘોડાવજનું
ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ સૂરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખૂલે
છે.
(૬) દરરોજ રાતે
જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.
(૭) આંબાના
મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે.
(૮) ત્રિફલા, ત્રિકટુ અને જવખારનું ચૂર્ણ પાણીમાં
આપવાથી બેસી ગયેલું ગળું ખૂલી જાય છે.
(૯) કોળાનો અવલેહ
ખાવાથી સ્વરભેદ મટે છે.
(૧૦) ગરમ કરેલા
દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય તો તે ઉઘડે છે.
(૧૧) ગળા પાસે
વધુ પડતું કામ લેવાને કારણે સ્વરહાનિ થઈ હોય તો જાંબુના ઠળિયાનો બારીક પાઉડર એકાદ
નાની ચમચી જેટલો લઈ મધ સાથે દિવસમાં બે ચાર વાર નિયમિત ચાટતા રહેવું.
(૧૨) એક કપ
પાણીમાં એક મોટી ચમચો ઘઉ નાખી ઉકાળી ગાળીને પીવાથી દબાઈ ગયેલો અવાજ ઉઘડવા લાગે છે.
(૧૩) આકડાના
ફૂલના ૩-૪ રેવડામાં ૨-૩ મરી નાખી, ઝીણું વાટી મોંમાં રાખવાથી બળતરા થશે અને
કફ છૂટો પડશે. પછી થોડી જ વારમાં અવાજ ખૂલી જશે.
(૧૪) બોરડીની
છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી બે-ત્રણ દિવસમાં જ અવાજ ઊઘડી જાય છે.
(૧૫) પાકું દાડમ
ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે સુધરે છે.
(૧૬) વધુ પડતું
બોલવાથી કે બૂમો પાડવાથી, ઉજાગરાથી કે અયોગ્ય આહારથી અવાજ બેસી જાય
તો ગરમ પાણીમાં મીઠું મેળવી દિવસમાં પાંચ-સાત વાર કોગળા કરવા તથા હૂંફાળા દૂધમાં
હળદર અને ધી નાખી મિશ્ર કરી પી જવું.
સ્વર સુધારવા
(૧) હરડે, બહેડાં, આમળાં, હળદર અને જેઠી મધ સરખે ભાગે લઈ તેહમાંથી
૧૦-૨0 ગ્રામનો ઉકાળો બનાવી, ગાળી, સવાર-સાંજ કોગળા કરવા. યટીમધુવટી કે
ખદીરાવટી ચૂસવી.
(૨) જેઠીમધ અને
આમળાં સરખે ભાગે લઈ એમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો બનાવી, સાકર મેળવી સવાર-સાંજ પીવો.
અવાજ સુરીલો કરવા
(૧) ૧૦ ગ્રામ આદુનો રસ, ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧ગ્રામ સિંધવ
મેળવી દિવસમાં ત્રણ વાર ધીમે ધીમે પીવાથી અવાજ મધુર થાય છે.
(૨) ઘોડા વૃજનું
ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ મધુર થાય છે.
(3) દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા
ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.
(૪) ફણસના ઝાડની
ડાળીના છેડેની અણીદાર કળીઓ વાટી ગોળી બનાવી મોંમાં મૂકી રાખવાથી ગળું સાફ થઈ કંઠ
ખૂલે છે.
