"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

AYURVED


... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે છેઆથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...

... માસાંતે આવી જ નવી માહિતી ...

... આયુર્વેદ અનુસાર ...

દરેક સામાન્ય રોગો અને તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.

મિત્રો, ગત અંકમાં તમે  કૉલેસ્ટરોલકોલાઈટીસ  વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.



કફ


(૧) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી કફવૃદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.

(૨) ૧૦-૧પ ગ્રામ આદુના રસમાં મધ મેળવી પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે અને વાયુ મટે છે. એનાથી હૃદયરોગ, આફરો અને શૂળમાં પણ ફાયદો થાય છે, ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે અને જઠરાગિન પ્રદીપ્ત થાય છે.

(3) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી કફ મટે છે.

(૪) છાતીમાં કફ સૂકાઈને ચોંટી જાય, વારંવાર વેગપૂર્વક ખાંસી આવે ત્યારે સૂકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોપડી મીઠાની પોટલી તપાવી શેક કરવો.

(પ) ડુંગળીના કકડા કરી ઉકાળો કરી પીવાથી કફ દૂર થાય છે.

(૬) પાકી સોપારી ખાવાથી કફ મટે છે.

(૭) ફૂદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દૂર કરે છે.

(૮) બેથી ચાર સૂકાં અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે.

(૯) રાત્રે સૂતી વખતે ૩૦-૪૦ ગ્રામ ચણા ખાઈ ઉપર ૧૦૦-૧૨૫ ગ્રામ દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.

(૧૦) વેગણ કફ મટાડે છે.

(૧૧) સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળર્ષિમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ. કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે.

(૧૨) કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું.

(૧૩) વાટેલી રાઇ એકાદ નાની ચમચી સવાર સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે. નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાય તો રાઇ આપી શકાય, પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું.

(૧૪) એલચી, સિંધવ, ધી અને મધ એકત્ર કરી ચાટવાથી કફરોગ મટે છે.

(૧૫) છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને ખૂબ તકલીફ થતી હોય, જીવન-મરણનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય તો દર અડધા કલાકે રૂદ્રાક્ષ પાણીમાં ઘસી મધમાં મેળવી ચાટતા રહેવાથી ઉલટી થઈ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે.

(૧૬) સતત ચાલુ રહેતી ઉધરસમાં કોકો પીવાથી ફાયદો થાય છે. કોકોમાં થીઓબ્રોમાઈન નામનું તત્વ હો છે જે કફ દૂર કરે છે.

(૧૭) રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીનાં પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટૂકડા, ત્રણ કાળાં મરી, ચણાના દાણા જેવડા આઠથી દસ હળદરના ટૂકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મૂકી બીડું વાળી ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવાથી ૧૦-૧૫ દિવસમાં કફ મટે છે.

(૧૮) ફેફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ(મુલેઠી) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં કફ નીકળી જઈ ફેફસાં સ્વચ્છ થાય છે.

(૧૯) ઘોડા વૃજનું ચૂર્ણ મધ સાથે લેવાથી કફમાં લાભ થાય છે.

(૨૦) સંઠ, હરડે અને નાગરમોથ દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચૂર્ણ બહેડાની છાલના ઉકાળામાં ખૂબ ઘૂંટી ૧ર0 ગ્રામ ગોળના પાકમાં નાખી બરાબર મિશ્ર કરી ચણી બોર જેવડી ગોળીઓ બનાવવી. એને ગુડાદિવટી કહે છે. આ બબ્બો ગોળી દિવસમાં ત્રણ વાર ચૂસવાથી કફના રોગો, ઉધરસ અને શ્વાસમાં ફાયદો થાય છે.

(૨૧) અરડૂસી, દ્રાક્ષ અને હરડેનું સમાન ભાગે બનાવેલ અધકચરો ભૂકો બેથી ત્રણ ચમચી એક ગલાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠંડુ પાડી. સવાર-સાંજ પીવાથી રક્તપિત્ત, ક્ષય, ઉધરસ, પિત્તજવર, કફના રોગો અને કબજિયાતમાં ફાયદો થાય છે.

(૨૨) સરખા ભાગે ફૂલાવેલો ટંકણખાર, જવખાર, પીપર અને હરડેનું બારીક ચૂર્ણ બનાવી, એનાથી બમણા વજનનો ગોળ લઈ પાક બનાવી ચણી બોર જેવડી ગોળી વાળવી. દિવસમાં ત્રણ વખત બબ્બો ગોળી ધીમે ધીમે ચૂસવાથી ગળામાં વારંવાર થતા કફનો નાશ થાય છે. એનાથી હેડકી, દમ, ઉધરસ, શરદી, શૂળ અને કફના રોગો પણ મટે છે.

(૨૩) જાવંત્રીનું ચૂર્ણ દસ ચોખા ભાર અને જાયફળનું ચૂર્ણ સાત ચોખા ભાર મિશ્ર કરી એક ચમચી મધ સાથે ચાટવાથી કફના બધા રોગો મટે છે. વાયુથી થતી સૂકી ઉધરસમાં પણ આ ઉપચાર એટલો જ હિતકારી છે.

(૨૪) રોજ છાતીએ તલ કે સરસવના તેલની માલીશ કરી શેક કરવાથી લોહીમાંનો કફ ઘટી જાય છે. (૨૫) અરડૂસી, આદુ અને લીલી હળદરનો ૧-૧ ચમચી રસ દિવસમાં ત્રણ વાર લેવાથી જુના કાકડા, ઉધરસ, શ્વાસ-દમ, શરદી વગેરે કફના રોગો મટે છે.

 

કફ અને પિત્ત :

(૧) દસેક તોલા ગરમ પાણીમાં મીઠું નાખી પીવાથી ઉલટી થઈ કફ અને પિત્ત બહાર નીકળે છે. પછીથી ઉલટી બંધ કરવા ઘી અને ભાત ખાવાં.

(૨) ગોળ સાથે હરડે લેવાથી કફ અને પિત્ત મટે છે.

 

કફ અને વાયુ :

સ્વાદમાં તીખી, કડવી અને તુરી અરણી કફ અને વાયુ મટાડે છે. અરણી જઠરાગિન પ્રદીપ્ત કરનાર, સર્વાગ સોજા ઉતારનાર, ઠંડી લાગતી હોય તો તેનું શમન કરનાર, પાંડુરોગ, રક્તાલ્પતા, મળની ચીકાશ અને કબજિયાતનો નાશ કરે છે. અરણીના મૂળ પાણીમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.

 

કફજવર :

મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમપાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી કફજવર મટે છે.