"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

AYURVED





... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે છેઆથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...

... માસાંતે આવી જ નવી માહિતી ...

... આયુર્વેદ અનુસાર ...

દરેક સામાન્ય રોગો અને તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.

મિત્રો, ગત અંકમાં તમે  કમર જકડાવી  વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.




કાનના રોગો


વાત, પિત્ત, કફ તથા વાતપિત્ત, વાતકફ અને પિત્તકફના કોપાવાથી કાનના રોગો થાય છે.

 

# વાયુના કર્ણરોગના કારણોમાં ચણા, ચોળા, વટાણા, વાલ, ગવાર, વાસી ખોરાક, કુલફી, આઈસ્કીમ, ઠંડાં પીણાં, કોદરી, લૂખા ખાખરા, લૂખા મમરા, કારણ વિના લંઘન, ઉજાગરા, વધુ પડતું ચાલવું, પદયાત્રા, પંખાનો પવન, ઠંડો પવન, માથાબોળ ઠંડું સ્નાન, વધુ વ્યાયામ, વાગવું, વધુ પરિશ્રમ, ઠંડી ઋતુમાં ઠંડા પાણીમાં તરવું, અતિશય બોલવું, ચિંતા, ભય, દુ:ખ વગેરે છે.

 

# પિત્ત...

તીખો, ખાટો, ખારો, ઉષ્ણ, તીક્ષણ અને ગરમાગરમ ખોરાક પિત્તકારક છે. તમાકુ તથા બીડીનું સેવન, અતિ પરિશ્રમ, દિવસની નિદ્રા, અતિ મૈથુન, કારણ વિનાના ઉપવાસ, સૂર્યનો અને અનિનો તાપ, અડદ, વધુ પડતાં ખાટાં-તીખાં અથાણાં, વધુ પડતું આદુ કે સુંઠ, વધુ પડતી ખાટી-તીખી કઢી, કોકમ, ખાટી કેરી, ખાટાં ખમણ, ખાટાં પીણાં, ખાટું દહીં, ખાટી છાસ, ખાટાં જામફળ, વધુ પડતાં ટામેટાં, તળેલા આહારનું વધુ સેવન, ભીંડા, તીખાં મરચાં, મરી, વધુ પડતું મીઠું (નમક), બાજરી, ઘરડા તીખા મૂળા, મોગરી, બીવાળાં રીંગણ, રાઈ, વધુ પડતું લસણ, વધુ પડતું લીંબુ, વાસી ખોરાક, સુકવણી કરેલો આહાર, સરગવો વગેરે કાનના પિત્તથી થતા રોગો કરે છે. જો કે કાનના રોગોમાં પિત્તજ કારણો ઘણાં ઓછાં હોવાથી પિત્તજ કર્ણરોગનું પ્રમાણ નહીંવત જોવા મળે છે.

 

# કફ.....

અડદ, આઈસક્રીમ, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળી દ્રાક્ષ, કુલફી, કેળાં, ખાટાં પીણાં, ખાંડ, ગોળ, ધી, ચીકુ, ખાટી છાસ, જમરુખ, ટામેટાં, ઠંડાં પીણાં, ડુંગળી, તરબૂચ, તલ, દહીં, દિવસની ઊધ, દૂધ, બિસ્કિટ, ભીંડા, નારંગી, પાંઉ, ક્રીજનું પાણી, ફૂટ જ્યસ, ફૂટ સલાડ, બરફ, માખણ, માંસ, મીઠાઈ, વધુ પડતું મીઠું (નમક), વેજિટેબલ ઘી, શીખંડ, શિંગોડાં, શેરડીનો રસ, તરવું, ઠંડા પાણીથી સ્નાન વગેરે કફજન્ય કર્ણરોગનાં કારણો છે.

 

# બે દોષનાં કરણો એક સાથે ભેગાં થાય ત્યારે દ્વિદોષજ કર્ણરોગ થાય છે. જેમ કે આઈસક્રીમ, કુલફી, ફ્રીજનું પાણી ઠંડો પવન વગેરેથી કફવાતજ કર્ણરોગ થાય છે.

# ત્રિદોષજ કર્ણરોગમાં ત્રણે દોષ કારણભૂત હોય છે. જેમ કે ઘરડા મૂળા, વાસી ભોજન, ક્રોધ, પરિશ્રમ, ઠંડી વગેરે કારણો એક સાથે થવાથી ત્રિદોષજ કર્ણરોગ થાય છે.

 

# વાયુથી થતા કાનના કોઈપણ રોગમાં કાનમાં જાત જાતના અવાજ આવે છે, દુ:ખાવો થાય છે, સોજો આવે છે, લાલાશ દેખાય છે તથા કાનમાંથી પાતળો સાવ થાય છે અને બહેરાશ આવે છે.

 

# પિત્તથી થતા કર્ણરોગમાં કાનમાં સોજો આવે છે, લાલાશ દેખાય છે, કરવતથી કપાતું હોય એવી તીક્ષણ વેદના અને દાહ થાય છે તથા પીળો દુર્ગધયુક્ત સાવ થાય છે.

 

# કફથી થતા કર્ણરોગમાં વિપરીત શબ્દ સંભળાય છે, કાનમાં ખંજવાળ આવે છે.

 

# ત્રિદોષથી થતા કર્ણરોગમાં જે દોષની પ્રબળતા હોય તે મુજબ લક્ષણો જોવા મળે છે. વાયુની પ્રબળતામાં પાતળો, કાળો કે ફીણવાળો સાવ, પિત્તની પ્રબળતામાં પીળો, લાલ લોહીવાળો, દુર્ગધયુક્ત, પાતળો અને ગરમ સાવ, તેમ જ કફની પ્રબળતા હોય તો સફેદ, ઘટ્ટ, ચીકણો અને પ્રમાણમાં વધુ સ્ત્રાવ થાય છે.

 

(૧) હળદર અને ફૂલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસાવ જલદી મટે છે.

(૨) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરું નીકળતું હોય તો બંધ થાય છે.

(3) ફૂલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસનાં ટીપાં નાખવાથી પરું નીકળતું બંધ થાય છે.

(૪) સરસિયુ અથવા તલના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી ફાયદો થાય છે.

(પ) તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારના કાનના દર્દીમાં લાભ થાય છે.

(૬) કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સિંધવનો બારીક પાઉડર મિશ્રણ કરી કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં મૂકવાથી કાનની તકલીફ દૂર થાય છે.

(૭) આંબાનો મોર (ફૂલ) વાટી, દિવેલમાં ઉકાળી, ગાળીને ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૮) આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૯) નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૧૦) તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.

(૧૧) લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં પO ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બબ્બી ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરું, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.

(૧૨) હિંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મૂકવાથી તીવ્ર કર્ણશળ મટે છે.

(૧૩) સરગવાના સૂકવેલા ફૂલનો પાઉડર કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો મટે છે.

(૧૪) આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે.

(૧૫) વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો મટે છે.

(૧૬) લસણની કળી છુંદી સરસવના તેલમાં કકડાવી એ તેલનાં ટીપાં કાનમાં મૂકવાથી કાનનો અવરોધ દૂર થાય છે અને અવાજ સાંભળવામાં સરળતા થાય છે.

 

કાનમાં આવIજ થાય ત્યllટે વિકૃત થયેલો કે અવળી ગતિવાળો વાયુ શબ્દનું વહન કરનારી શિરામાં રોકાઈ જવાથી કાનમાં જાત જાતના અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહે છે. એમાં અંત:કર્ણમાં આવેલ કોકલિયા નામના અંગની વિકૃતિ થાય છે.

 

આ રોગમાં આ મુજબ શકય ઉપચાર કરવા.

(૧) બકરીના મૂત્રમાં સિંધવ નાખી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાં.

(૨) કપાસના જીંડવાનો રસ કાનમાં નાખવો.

(3) નાગરવેલના પાનનો રસ કાનમાં નાખવો.

(૪) બકરીના મૂત્રમાં લસણ, આદુ અને આંકડાના પાનનો રસ મેળવી કાનમાં નાખવો.

(પ) સરસવ તેલથી કાન ભરી દેવો.

(૬) લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.

(૭) ગળોનો રસ સહેજ ગરમ કરી દિવસમાં ચારેક વખત કાનમાં પાંચ-સાત ટીપાં નાખવાથી કર્ણનાદ અને કર્ણશળ મટે છે. 

 

કાન બંધ થઇ જવા       :    લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે. 

કાનમાં જંતુ જાય ત્યારે   :   મધ, દિવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જતુ નીકળી જાય છે.

 

કાનમાં પરું :

કાનમાંથી પરુ નીકળતું હોય તો કાન સાફ કરીને નીચે દર્શાવેલ શકય ઉપાય કરવા.

(૧) મધમાં સિંદુર મેળવી બબ્બી ટીપાં સવારે-રાત્રે કાનમાં નાખવાં.

(૨) ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયુ અને થોડી હળદર નાખી ચારગણા પાણીમાં ધીમા તાપે ઉકાળી તેલ સિદ્ધ કરવું. આ તેલનાં બેત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં.

(3) કાનમાંથી પરું વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાથી મટી જાય છે.

(૪) લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરું બંધ થાય છે. 

 

કાનની બેહારાશ :

(૧) કાનની કોઈ ખરાબીને લીધે નહિ પણ કુદરતી રીતે શ્રવણશક્તિ ઘટી ગઈ હોય તો સવાર, સાંજ, બપોર અને સાંજે ૧ નાની ચમચી વાટેલું જીરું દૂધ સાથે લેવાથી લાભ થાય છે.

(૨) સમભાગે હિંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખૂલી જઈ બહેરાશ મટે છે.

(3) આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવો.

(૪) ગાયનું જૂનું ધી ખાવામાં વિશેષ વાપરવું.

(પ) રૂમાં વીંટાળેલી લસણની કળી કાનમાં રાખવી.

(૬) ઉત્તમ હિંગની ભૂકી રૂમાં મૂકીને કાનમાં રાખવી.

(૭) વછનાગ અને વ્રજ તલના તેલમાં ગરમ કરી કાનમાં નાખવું.

(૮) કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વિજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે.

(૯) સરસવના તેલમાં દશમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડયે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.

(૧૦) સવારે ચારપાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે.

(૧૧) સૂંઠ અને ગોળ મેળવી પાણીમાં સારી રીતે ઘૂંટી કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે. 

 

કાનની વિવિધ તકલીફો :

કાનમાં કીડા પાડવા કર્ણસાવ, કર્ણપાક, વિદ્રધિ જેવા રોગોથી, કાનની અસ્વચ્છતાથી કે વાતાદિ દોષોથી કાનમાં સડો પેદા થાય છે, અને અને તેમાં કીડા પેદા થયા છે. એમાં આ મુજબના શકય ઉપાયો કરવા.

(૧) સ્વમૂત્ર કાનમાં નાખવું.

(૨) લીમડાના રસમાં કકડાવેલું સરસિયું કાનમાં નાખવું.

(3) ગોમૂત્ર સાથે હરતાલનું ચૂર્ણ પીસીને કાનમાં નાખવું.

(૪) સરકામાં પાપડિયો ખારો, અજમો અને ઈન્દ્રાયણનો ગર્ભ મેળવી કર્ણપૂરણ કરવું.

(પ) દૂધિયા વછનાગ(કલિહારી)ના મૂળનો રસ કાઢી તેમાં થોડું ત્રિકટુ (સુંઠ, મરી, પીપર) મેળવી કાનમાં નાખવાથી કૃમિ તદ્દન મરી જાય છે.

 

કાનમાં ખંજવાળ :

કાનમાં ખંજવાળ આવે તો કાન કદી ખોતરવો નહિ.

(૧) સ્વમૂત્રનાં ટીપાં કાનમાં નાખવાં.

(૨) લીંબોળીનું તેલ ગરમ કરીને તેનાં બે-ચાર ટીપાં સવારે અને રાતે કાનમાં નાખવાં.

(3) દાવ્યદિ અથવા મરિચયાદિ તેલ ગરમ કરીને કાનમાં નાખવું.

(૪) ત્રિફળાના કાઢા વડે કે લીમડાના ઉકાળાથી કાન સાફ કરવો.

(પ) રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ કે હરડે ચૂર્ણની ફાકી કરવી.

 

કાનમાં કંઇક ભરાઈ જવું :  

માખી, બગાઈ, મકોડા, કાનખજૂરી વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળિયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા પિચકારીનો ઉપયોગ કદી ન કરવો. એ વસ્તુઓને ટૂકડા કરીને કાઢવી ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું. કાનમાં કીડા કે જતું પ્રવેશ ગયું હોય તો આમાંથી શકય ઉપાય કરવા.

(૧) ગાયનું ધી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજતુ બહાર નીકળી આવે છે.

(૨) ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો.

(3) જાંબુના પાનનો રસ કાનમાં ભરી દેવો.

(૪) ક્લોરોફોર્મની પિચકારી મારવાથી જતુ મરી જશે, પછી કાનને પિચકારી વડે ધોતાં જતુ બહાર નીકળી જાય છે.

(પ) મધનાં કે દારૂનાં ટીપાં કનમાં નાખવાં.

 

કાનનો મેલ :  

કાનમાં મેલ વધુ પ્રમાણમાં થાય તો શ્રુતિમાર્ગ સાંકડો થતાં બહેરાશ આવે છે. આ મેલ કાઢવા ગરમ કરેલું સરસિયું કે તલનું તેલ કાનમાં નાખવું.

 

કાન ની સંભાળ :  

(૧) કાન ખોતરવા નહિ.

(૨) કાનમાં ફુંક ન મારવી.

(3) ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.

(૪) માથા પર મારવું નહિ.

(પ) ઘોંઘાટથી દૂર રહેવું.

(૬) નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પૂમડાં ખોસવાં.

(૭) સ્નાન કર્યા પછી ચોખા ટુવાલ વડે કાન લછવા.

(૮) નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં.

(૯) ગરમ દવાનું અતિશય સેવન ન કરવું. ગરમ દવાના સેવન વખતે ૨ ગ્રામ ગળોસતત્વ મધ સાથે લેવું.

 

કાનના રોગોમાં પથ્ય : 

અજમો, અથાણાં(તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી(તીખી), કાજુ, કોથમીર, કોબી, ફુલાવર, ખજૂર (થોડી), ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ (પાતળી અને મોળી), જીરુ, પરવળ, પાન, પાપડ (અડદ સિવાયના), પાલખ, બટાટા(થોડા), સીંગતેલ(થોડું), હળદર, હિંગ વગેરે. (૨) નીચેનો આહાર ન લેવો. અડદ, આઈસક્રીમ, આમલી, અંજીર, ઈંડાં, કાકડી, કુલફી, કેરી, કોકમ, કેળાં, ખાંડ, ગવાર, ઘી(ભેંસનું), ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળાં, ટેટી, ઠંડાં પીણાં, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે.